Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DANA CYCLONE LANDFALL:દાના વાવાઝોડાના ત્રાટક્યા બાદ ઓડિશા અને પ.બંગાળના કેવા છે હાલાત? વાંચો અત્યાર સુધીની તમા

ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા દાના વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી બેથી ત્રણ કલાક આ પ્રકિયા ચાલશે, જો કે, બપોર બાદ વાવઝોડું નબળુ પડે તેવી શક્યતા છે. સમગ્ર મામલે ઓડિશા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

Cyclone dana

પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદભવેલુ ભયંકર વાવાઝોડુ ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારની વહેલી સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યુ હતુ અને દરિયાકાંઠે ત્રાટક્યા બાદ વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થયુ છે.જે સમયે વાવાઝોડુ ત્રાટક્યુ ત્યારે તેની ઝડપ 120 KMની હતી. ભારતીય હવામાન વિભાગ(MD)અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલુ દાના વાવાઝોડુ 10 KM પ્રતિકલાકે ઉત્તર-ઉત્તર પ્રશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. દાના વાવાઝોડાના કારણે ઓડિશમાં ભારે પવન અને વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સમગ્ર પરિસ્થિત પર ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સતત નજર રાખી રહ્યાં છે.

હાલ દાના વાવાઝોડાની લેન્ડફોલ થવાની પ્રકિયા શરૂ થઈ ગઈ છે અને હજુ આ પ્રક્રિયા 2થી 3 કલાક ચાલશે. બપોર સુધીમાં આ વાવાઝોડુ નબળુ પડવાની શક્યતા છે, વાવાઝોડાની અસરના પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થઈ રહ્યા છો. ભારે વરસાદ અને વાવાઝોડાની અસરના પગલે અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે.ભદ્રક, કેન્દ્રપરા, બાલાસોર અને જગતસિંહપુર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. ભુવનેશ્વરમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, "લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે તે ધીમે ધીમે નબળી પડી જશે." નીલગિરિસ, કોઈમ્બતુર, તિરુપુર, ડિંડીગુલ, થેની, તેનકાસી, તિરુનેલવેલી, કન્યાકુમારી, ઈરોડ, કૃષ્ણાગિરી, ધર્મપુરી, સાલેમ, નમાક્કલ, કલ્લાકુરિચી, પેરમ્બલુર, અરિયાલુર, કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને માયલીલામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સમગ્ર મામલે સરકાર રાખી રહી છે નજર: CM

ભારે વરસાદ અને પવનને કારણે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની માહિતી સામે આવી છે. જ્યારે ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પર પણ સતર્ક છે અને વાવાઝોડોનો સામનો કરવા માટે રાજ્ય સરકારે નક્કર વ્યવસ્થા પણ કરી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે ઓડિશના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી પણ સતર્કતાથી કામકાજ કરી રહ્યાં છે. વાવાઝોડા અંગેની માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે,રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વાવાઝોડાની પરિસ્થિતિ પર સતર્ક છે.સરકાર ઝીરો કેઝ્યુલિટી પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 5.84 લાખ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે અને તમામ પ્રકારની મદદ મોકલવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલે માહિતી લીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X