કોરોનાની સારવાર માટે આ દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
હૈદરાબાદ સ્થિત હેટેરોને પુખ્ત વયના લોકોમાં કોવિડની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. કંપનીએ સોમવારના રોજ જાહેરાત કરી છે કે, તેમને DCGI તરફથી EUA પ્રાપ્ત થયું છે.
નવી દિલ્હી : હૈદરાબાદ સ્થિત હેટેરોને પુખ્ત વયના લોકોમાં કોવિડની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. કંપનીએ સોમવારના રોજ જાહેરાત કરી છે કે, તેમને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી ઇમર્જન્સી યુઝ ઓથોરાઇઝેશન (EUA) પ્રાપ્ત થયું છે. તે કોરોનાવાયરસના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોની સારવાર માટે એન્ટિ-ર્યુમેટિક દવા Tocilizumab ના સામાન્ય પ્રકાર માટે ઇમરજન્સી ઉપયોગ પણ કરી શકે છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોવિડ 19 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જુલાઈમાં ભલામણ કરી હતી કે, આ દવા ગંભીર રીતે બીમાર કોવિડ19 દર્દીઓ માટે વાપરી શકાય છે. મંજૂરી બાદ ડોકટર્સ હવે હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોરોનાની સારવાર માટે જેનરિક દવા Tocilizumab નો ઉપયોગ કરી શકશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રણાલીગત કોર્ટીકોસ્ટેરોઈડ્સ, આવશ્યક પૂરક ઓક્સિજન, વેન્ટિલેટર અને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન પર હોય તેવા દર્દીઓમાં Tocilizumab દવાનો ઉપયોગ કરી શકાય છે.
TOCIRA (Tocilizumab) ભારતમાં તેની પેટાકંપની હેટેરો હેલ્થકેર દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે. તેના મજબૂત નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં તેને સુધારવા માટે સતત કામ કરવામાં આવશે. હેટેરોનું બાયોલોજિક્સ યુનિટ 'હેટેરો બાયોફાર્મા' હૈદરાબાદમાં તેની બાયોલોજિક્સ ફેસિલિટીમાં દવા બનાવશે. તોસિરા બાયોસિમિલર વર્ઝન છે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં ઉપલબ્ધ થશે.
હેટેરો ગ્રુપના પ્રેસિડન્ટ ડો. બી પાર્થ સારધી રેડ્ડીએ જણાવ્યું હતું કે, "ભારતમાં હેટરોની Tocilizumab (ટોસિરા) ની મંજૂરીથી અમને આનંદ છે. આ અમારી ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને કોવિડ કેર માટે નિર્ણાયક ઉપચારો લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. Tocilizumabની વૈશ્વિક અછતને જોતા આ પુરવઠો ભારતમાં પુરવઠા સુરક્ષા માટે આ મંજૂરી ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. ન્યાયપૂર્ણ વિતરણ સુનિશ્ચિત કરવા માટે અમે સરકાર સાથે મળીને કામ કરીશું.