Firozabad: જે મહિલાને ડોક્ટરે મૃત જાહેર કરી તે અંતિમ સંસ્કાર પહેલા જીવિત થઇ, ચા પીને ગૌ દાન પણ કર્યુ
ફિરોજાબાદમાં મૃતક મહિલા જીવત થયા બાદ તેણે ચા પીધી હતી અને તેના હાથ ગૌ દાન પણ કરવામાં આવ્યુ હતુ. 81 વર્ષિય મહિલાને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી . પરંતુ મહિલા અંતિમસંસ્કાર પહેલા જ જીવત થઇ હતી.
ઉત્તર પ્રદેશના ફિરોજબાદ જિલ્લામાથી એક માન્યમાં ના આવે તેવી ખબર સામે આવી છે. જેને સાંભળીને લોકો હેરાન રહી ગયા હતા. જી હા.. આ એક 81 વર્ષીય મહલા ડોક્ટરે બ્રેન્ડ ડેડ મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ વૃદ્ધ મહિલાના પરિવાજનો તેની અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. અને શબને સ્માશન ઘાટ લઇ જઇ રહ્યા હતા ત્યાર મહિલાએ પોતાની આંખ ખોલી હતી. ત્યાર બાદ પરીવારજનો આશ્ચર્યચકીત થઇ ગયા હતા. મહિલાને ફરી પરત ઘરે લઇ આવ્યા હતા.
હરિભેજીને ટ્રોમા સન્ટરમાં કરવામાં આવ્યા હતા ભર્તી
જો કે, 81 વર્ષીય હરિભેજીએ બીજા દિવસે મૃત્યુ થઇ ગયુ હતુ. ત્યાર બાદ મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. મીડિયામા આ વાત છવાઇ ગઇ છે. આ મમગ્ર મામલો ફિરોજાબાદના અસરાના થાના ક્ષેત્રના વિલાસપુર ગામનો છે. રિપોર્ટ્સ અનુસાર સુધાર સિંહની પત્ની હરિભેજી 81 ની તબિયત ખરા થતા તને પરિજનોએ 23 ડિસેમ્બરના રોજ ફિરોજાબાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી.
અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતા.
હરિભેજીના દિકરા સુગ્રીસિંહ પોતના માતાને મૃત માનીને અંતિ સંસ્કાર માટે અસરાના લઇ જઇ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ સિવિલ લાઇન અે મક્ખનપુર વચ્ચે હરિભેજીએ અચાનક આંખ ખોલી હતી. હરિભેજીના પરિવારજનોને લાગ્યુ કે, ડોક્ટરોએ ખોટુ કહ્યુ છે. આ તો જીવિત છે. ત્યાર બાદ મહિલાના પરિવારના લોકો ખુશ થઇ ગયા હતા. અને મહિલાને સીધા ઘરે લઇ આવ્યા હતા.
ત્યાર બાદ હરિભેજી પાસે ગૌદાન પણ કરવામાં આવ્યુ હતુ. પરિજનોની માનીએ તો હરિભેજીએ ઘરે આવ્યા બાદ ચમ્મચથી ચાલ પણ પીધી હતી. જો કે, બુધવાર સવારે હરિભેજીની મોત થઇ ગઇ હતી. અને મોડી સસાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.