For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ સીરિયલ કિલર ચંદ્રકાંત ઝાને સજા એ મોત

By Super
|
Google Oneindia Gujarati News

Chandrakant-Jha
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરીઃ હત્યાના દોષી ચંદ્રકાંત ઝાને દિલ્હીની એક અદાલતમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ચંદ્રકાંત લોકોની હત્યા કરી મૃતદેહ તિહાર જેલની બહાર ફેંકવાના આરોપમાં દોષી પુરવાર થયો હતો. આ પહેલા સોમવારે વધુ એક મામલામાં તેને ઉમર કેદની સજા ફટકારવામાં આવી હતી.

દિલ્હીની રોહિણી અદાલતે આજે ચંદ્રકાંત ઝાને એક વ્યક્તિની હત્યા કરવા અને તેનું માથું કાપીને બાકીનો મૃતદેહ તિહાર જેલની બહાર ફેંકવાના મામલામાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ મામલામાં 24 જાન્યુઆરીએ કોર્ટે તેને દોષી પુરવાર કર્યો હતો.

ચંદ્રકાંત ઝા વ્યવસાયે એક શાકભાજી વેચનાર હતો. તેણે 2006-2007માં અમિત, ઉપેન્દ્ર અને દીલિપના ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી હતી અને તિહાર જેલના ગેટ પાસે તેમના મૃતદેહ ફેંકી દીધા હતા. તેણે બોલાચાલી બાદ આ ત્રણેયની હત્યા નિપજાવી હતી. ચંદ્રકાંત ઝા પર એવો પણ આરોપ છે કે તેણે પોલીસને પત્ર લખીને પડકાર ફેંક્યો હતો કે પોલીસમાં દમ હોય તો તેને પકડી બતાવે.

English summary
A court in Rohini in the capital on Monday handed capital punishment to serial killer Chandrakant Jha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X