કોંગ્રેસનો નવો વ્યૂહ : રાષ્ટ્રીય રાજકારણમાં મોદી સ્થિર થાય તે પહેલા ચૂંટણી યોજો

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાતમાં ભાજપને સતત ત્રીજી ટર્મમાં સત્તા અપાવી અને સાથે ગુજરાતમાં કોંગ્રેસને ભૂતકાળ બનાવી દીધી એ જોઇને કોંગ્રેસના દેશભરના સિનિયર નેતાઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ઇલેકશન કમિટિનો ચાર્જ સંભાળી દેશનાં તમામ સ્ટેટની પરિસ્થિતિનો તાગ મેળવે એ પહેલા જ દેશમાં ઇલેકશન જાહેર કરી દેવું જોઇએ.
કોંગ્રેસના નેતાઓની આ નવી ચાલ પાછળ તેમનું માનવું છે કે પ્રચારમાં માસ્ટર ગણાતા મોદીને રાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજી બનાવવાનો સમય મળવો ના જોઇએ. દેશભરના સિનિયર નેતાઓએ તેમની આ ઇચ્છા સોનિયા ગાંધીના પોલિટિકલ એડવાઇઝર અહમદ પટેલ સુધી પહોંચાડી દીધી છે.
દિલ્હી કોંગ્રેસ સાથે સંકળાયેલા એક નેતાએ આપેલી માહિતી મુજબ અહમદ પટેલની આ બાબતમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ વાત પણ થઇ ગઇ છે. સોનિયા ગાંધી પણ કોંગ્રેસનો પંજો દેશમાં ઉંચો રહે તે માટે નેતાઓની ઇચ્છા સાથે સંમત થઇ ગયા હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસના એક સાંસદે ઓફ ધી રેકોર્ડ જણાવ્યું છે કે "કોંગ્રેસ પાણી પહેલા પાળ બાંધવામાં માને છે. મોદીનો મેજિક અટકાવવા માટે અત્યારે જ ઇલેકશન જોહેર થાય તો જ મોદી પોતાની સ્ટ્રેટેજી ઘડવામાં ઉતાવળ કરે અને ભૂલ કરી બેસે એવી શક્યતા છે. જો નરેન્દ્ર મોદીને પૂરતો સમય મળી ગયો તો ચોક્કસપણે તે કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને નુકસાન કરી શકે છે."
લોકસભા ચૂંટણી 2014નું આયોજન સમય કરતા વહેલું થાય એવી માંગણી કોંગ્રેસના દોઢસોથી વધુ સંસદસભ્યોએ કરી છે. જ્યારે એટલા જ અન્ય નેતાઓ પણ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદીને ભીડવવા માટે પ્રધાનમંડળ વિખેરી દઇને લોકસભાની ચૂંટણી વહેલી યોજવી જોઇએ. જો આ વ્યૂહ પર કોંગ્રેસ અમલ કરશે તો ચૂંટણી દિવાળીની આસપાસ એટલે કે નવેમ્બર - ડિસેમ્બર મહિનામાં આવી શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
