માનહાનિ કેસઃ રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ 29 એપ્રિલે કરશે સુનાવણી
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ 29 એપ્રિલના રોજ સુનાવણી કરશે. રાહુલ ગાંધીની 'મોદી સરનેમ'વાળી ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે ન આપવાના સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી અપીલ પર સુનાવણી થવાની છે.
ગુજરાત હાઈકોર્ટના નવા જજ અપીલની સુનાવણી કરશે. હાઈકોર્ટ દ્વારા ગુરુવારે પ્રસિદ્ધ કરાયેલ કારણ યાદી અનુસાર, 29 એપ્રિલે રાહુલ ગાંધીની અપીલ પર જસ્ટિસ હેમંત પી. સુનાવણી કરશે.

આ પહેલા 26 એપ્રિલના રોજ રાહુલ ગાંધીના વકીલ પીએસ ચાંપાનેરીએ જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટ સમક્ષ આ મામલાની વાત કરી હતી. જોકે, જસ્ટિસ ગોપીએ સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ કેસમાં સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500(ગુનાહિત માનહાનિ) હેઠળ દોષી ગણાવીને બે વર્ષ જેલની સજા સંભળાવી હતી.
ચુકાદા બાદ રાહુલ ગાંધીને જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈ હેઠળ સંસદના સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી 2019માં કેરળમાં વાયનાડથી લોકસભા માટે ચૂંટાયા હતા.
સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી ગણાવવાના ચુકાદા પર રોક લગાવતી તેમની અરજી 20 એપ્રિલે ફગાવી દીધી હતી. હાલમાં રાહુલ ગાંધી જામીન પર છે.












Click it and Unblock the Notifications
