Punjab : બીજેપીએ સુનીલ જાખડને પંજાબ અધ્યક્ષ બનાવતા પાર્ટીમાં બગાવત, પુર્વ ધારાસભ્યએ પાર્ટી છોડી

છેલ્લા કેટલાક સમયથી બીજેપી સંગઠનમાં કેટલાક મોટા ફેરફાર કરી રહી છે. આ ક્રમમાં બીજેપીએ પંજાબમાં મોટા ફેરફાર કરતા સુનીલ જાખડને બીજેપી પંજાબના અધ્યક્ષ બનાવ્યા છે. સુનીલ જાખડને પાર્ટી અધ્યક્ષ બનાવતા હવે પાર્ટીમાં બગાવત જોવા મળી રહી છે.

બીજેપીએ પંજાબના અધ્યક્ષ તરીકે સુનીલ જાખડની નિયુક્તિ બાદ રાજ્યમાં પાર્ટી સંગઠમમાં બગાવત શરૂ થઈ છે. જાખડને પ્રમુખ બનાવ્યા 3 કલાકમાં જ અબોહરથી બીજેપીમાંથી ધારાસભ્ય રહી ચુકેલા અરુણ નારંગે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

bjp

તેમણે રાજીનામું આપતા કહ્યું કે, તે એક કાર્યકર તરીકે પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખશે. અરુણ નારંગે સુનીલ જાખડને પ્રમુખ બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, નારંગે જ 2017ની ચૂંટણીમાં જાખડને હરાવ્યા હતા. ખેડૂત આંદોલન દરમિયાન અરુણ નારંગ મુક્તસરના મલોટ વિસ્તારમાં ખેડૂતોએ ઘેરી લીધા હતા. આ દરમિયાન ખેડૂતોએ નારંગના કપડા ફાડીને ધુલાઈ કરી હતી.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બીજેપીને ખરાબ રીતે હરાવી હતી. હવે બીજેપી પંજાબમાં ફરીથી પગ જમાવવાની કોશિશ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X