દિલ્લીની વાયુ ગુણવત્તા પહોંચી 'ગંભીર' સ્થિતિમાં, AQI 400ને પાર
આજે પણ રાજધાનીમાં હવા ખૂબ જ વધુ ખરાબ છે. AQI આજે 400ને પાર કરી ગયો છે.
નવી દિલ્લીઃ તમામ કોશિશો છતાં દિલ્લીમાં પ્રદૂષણ ઘટવાનુ નામ નથી લઈ રહ્યુ. આજે પણ રાજધાનીમાં હવા ખૂબ જ વધુ ખરાબ છે. AQI આજે 400ને પાર કરી ગયો છે. ગુરુવારે સવારે આનંદ વિહારમાં હવાની ક્વૉલિટીનો સૂચકાંક (AQI) 401, અલીપુરમાં 405 AQI અને વજીરપુરમાં 410 AQI નોંધવામાં આવ્યો છે. દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના આંકડા અનુસાર બધા ત્રણ 'ગંભીર' કેટેગરીમાં છે. આજે પણ દિલ્લીમાં સવારે ધૂમ્મસની સફેદ ચાદર છવાઈ છે. જો કે દિલ્લી સરકાર સતત પ્રદૂષણને નિયંત્રણ કરવાની કોશિશમાં લાગેલી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્લી સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસીને લાગુ કરી છે જેનાથી દિલ્લીના વાયુ પ્રદૂષણને ઘટાડી શકાય. વળી, દિલ્લીવાસી આ વખતે દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકશે. આનુ ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રીન ફટાકડાની અનુમતિ
બુધવારૈ દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યુ કે આ વખતે દિલ્લામાં માત્ર ગ્રીન ફટાકડાનુ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવાની મંજૂરી રહેશે. તેમણે કહ્યુ કે દિવાળી પર ફોડાતા ફટાકડાથી દિલ્લીની હવા પ્રદૂષિત થઈ જાય છે અને તેનુ લોકોના જીવન પર ગંભીર અસર થાય છે. તેમણે એ પણ જણાવ્યુ કે દિલ્લી સરકાર ત્રણ નવેમ્બરથી એન્ટી ક્રેકર અભિયાન શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે દર વખતે દિલ્લી દિવાળી બાદ વધુ પ્રદૂષિત થઈ જાય છે માટે આ વખતે સરકારે કડકાઈથી આ પગલાં લીધા છે.
ઠંડી અને પ્રદૂષણથી કોરોનાનુ જોખમ
તમને જણાવી દઈએ કે રાજધાનીમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી દિલ્લી-એનસીરના તાપમાનમાં ઘટાડો આવ્યો છે પરંતુ પારો ઘટવાથી વાયુ પ્રદૂષણ પણ વધવા લાગ્યુ છે અને સાથે જ ધૂળ અને સૂકા ઘાસને બાળવાથી થતો ધૂાડો પણ હવાને વધુ પ્રદૂષિત કરી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે કારણકે જો દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ વધ્યુ તો કોરોના સામે જંગ લડી રહેલ રાજધાની માટે સારા સમાચાર નહિ હોય. આ બાબતે એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા કહી ચૂક્યા છે કે તહેવારની સિઝનમાં વધતુ પ્રદૂષણ, ઘટતુ તાપમાન, વધતી ભીડ વગેરેથી દરેકને જોખમ છે. વળી, જે લોકો લૉન્ગ કોવિડનો સામનો કરી ચૂક્યા હોય તેમણે ફ્લુની વેક્સીન લઈ લેવી જોઈએ.
કોવિડના કારણે થઈ રહેલા મોતમાં પ્રદૂષણ પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યુ
વળી, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ(કોવિડ-19)ની ચપેટમાં આવનારા દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ જાનલેવા સાબિત થઈ રહ્યુ છે. વૈજ્ઞાનિકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી થયેલ લગભગ 15 ટકા મોતનો સંબંધ લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણવાળા માહોલમાં રહેવાનુ ગણાવ્યુ છે. વળી, આઈસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્વગે કહ્યુ કે કોવિડના કારણે થઈ રહેલ મોતમાં પ્રદૂષણ પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે માટે પ્રદૂષણ પર લગામ ખૂબ જરૂરી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
