Delhi Election 2020: કુમાર વિશ્વાસે સાધ્યુ આપ પર નિશાન કહ્યુ, ચાદર ફાટવા લાગી તો...
કવિ અને નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર તેમના નિવેદન માટે નિશાન સાધ્યુ છે.
દિલ્લી વિધાનસભા ચૂંટણી નજીક આવતા આવતા રાજકીય નિવેદનબાજી વધી ગઈ છે. કવિ અને નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર તેમના નિવેદન માટે નિશાન સાધ્યુ છે. વાસ્તવમાં સંજય સિંહે હાલમાં જ શાહીન બાગના લોકોને પ્રદર્શન પાછુ લેવાની અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે તેમણે જ શાહીન બાગનો કેસ શરૂ કરાવ્યો હતો.

કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યુ, 'જે અમાનતી ગુંડા અને તેના જોડીદાર શરજિલ ઈમામ પાસે શરૂ કરાવ્યુ હતુ તેમને જ મોકલીને ઉઠાવી દો, કોને કહી રહ્યા છો? પોતાનો દાવ જ્યારે પોતાના પર જ ઉલટો પડવા લાગે તો આ નિવેદનબાજી? ચાદર ફાટવા લાગી તો પ્રસાદ વહેંચાવા લાગ્યો.' તમને જણાવી દઈએ કે કુમાર વિશ્વાસ સતત આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. આ પહેલા તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાહીન બાગમાં પ્રદર્શન કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યુ હતુ, 'પોતાના અમાનતી ગુંડાને મોકલીને બેસાડો તમે અને ઉઠાડે બીજા? તમારા નિવીર્ય નાયબ શાહીન બાગ સાથે ઉભો છુ હુ, તમે કહી રહ્યા છો હટાવો.' 'અપની હર ગેર-મુનાસિબ સી જહાલત કે લિએ, બારહા તૂ જો યે બાતો કે સિફર તાનતા હે, છલ-ફરેબોમે છકે સચ કે મસીહા મેરે, હમસે બહેતર તો તુઝે, તૂ ભી નહિ જાનતા હે.' તમને જણાવી દઈએ કે દિલ્લીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
વળી, જો શાહીન બાગની વાત કરીએ તો અહીં 15 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ અહીં એક મુખ્ય રસ્તાઓને ત્યારથી બ્લૉક કરી દીધા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાહીન બાગ પ્રદર્શનના કારણે અહીં આસપાસ સ્થિત દુકાનો અને ફેક્ટરીઓ પણ ઠપ્પ પડી છે. આ લોકો નાગરિકત સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલી મહિલાઓની માંગ છે કે સીએએને પાછુ લેવામાં આવે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
