અરવિંદ કેજરીવાલનો દાવો - રાઘવ ચઢ્ઢાની પણ થઈ શકે છે ધરપકડ, આ લોકો બનાવી રહ્યા છે...
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે, 'જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનુ ચાલુ કર્યુ છે, હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને શું આરોપ હશે, એ હજુ આ લોકો બનાવી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે દિલ્લીની દારૂનીતિ પર થયેલી કાર્યવાહી બાદ દિલ્લીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામ-સામે આવી ગઈ છે. ગયા સપ્તાહે સીબીઆઈએ કથિત દારુનીતિ કૌભાંડમાં વિજય નાયરની ધરપકડ કરી હતી ત્યારબાદ કેજરીવાલે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડની શંકા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટીના સહપ્રભારી નિયુક્ત કર્યા હતા. ત્યારબાદથી ચઢ્ઢાએ ગુજરાતમાં કહ્યુ હતુ કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. તે ભાજપના 27 વર્ષના શાસનથી પરેશાન છે. વળી, રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યુ હતુ કે કોંગ્રેસ બૂઢ્ઢી થઈ ચૂકી છે અને તે ભાજપને સત્તામાંથી હટાવવામાં સક્ષમ નથી. હવે અરવિંદ કેજરીવાલ જ એક વિકલ્પ છે. નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે પંજાબના પણ પ્રભારી છે. પંજાબમાં આપે વિધાનસભાની 117માથી 92 સીટો પર જીત મેળવી હતી.
દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે હાલમાં જ આપ ધારાસબ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન આપ્યા. તે અંગે પણ તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. કેજરીવાલે ગુરુવારે ટ્વિટ કર્યુ હતુ કે ભાજપવાળા દિલ્લીમાં નકલી તપાસ કરતા રહી ગયા અને આ બાજુ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયુ. આજે 75 વર્ષ પછી પણ લોકોને પોતાની સમસ્યાઓનો ઉકેલ જોઈએ. લોકોમાં જબરદસ્ત બેચેની છે. 24 કલાક નેગેટીવ અને બદલાની રાજનીતિ કરવાનુ લોકોને પસંદ નથી.
जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
