ઈલેક્ટ્રીક વાહનો વિશે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કર્યુ મોટુ એલાન
દિલ્લીમાં પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા સામે લડવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે મોટુ એલાન કર્યુ છે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા સામે લડવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે મોટુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે 6 મહિનામાં દિલ્લી સરકાર સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક વાહનો પર સ્વીચ થઈ જશે. તેમણે કહ્યુ કે અમે નક્કી કર્યુ છે કે દિલ્લીમાં વર્ષ 2024 સુધી 25 ટકા નવા વાહન ઈલેક્ટ્રીક હોવા જોઈએ. તેમણે કહ્યુ કે રાજ્યમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો પર 30 હજાર રૂપિયા સુધી જ્યારે 4-વ્હીલર વાહનો પર 4 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક વાહનોથી માર્ગ અને રજિસ્ટ્રેશન ફી પણ લેવામાં આવશે નહિ.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યુ કે અમે સ્વચ્છ વાહનો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આજથી દિલ્લી સ્વિચ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમણે એલાન કર્યુ કે દિલ્લીમાં હવે 100 ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર કાઢવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી દિલ્લીમાં 6 હજાર ઈલેક્ટ્રીક વાહન ખરીદવામાં આવી ચૂક્યા છે અને આ વાહનો પર સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવી છે. તેમણે દિલ્લીમાં સ્થિત કંપનીઓને પોતાના ક્ષેત્રમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનુ પણ નિવેદન કર્યુ.
આ ઉપરાંત તેમણે દિલ્લીના સિનેમા હૉલ, મૉલને પણ પોતાના પાર્કિંગ એરિયામાં ઈલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનુ નિવેદન કર્યુ. તેમણે કહ્યુ કે દિલ્લી સરકારે નક્કી કર્યુ છે કે આવનારા 6 મહિનામાં અમે માત્રઈલેક્ટ્રીક વાહનોને જ હાયર કરીશુ. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરીને કહ્યુ કે તમે જ્યારે પણ પોતાની પહેલી ગાડી ખરીદો તે ઈલેક્ટ્રીક જ હોવી જોઈએ.












Click it and Unblock the Notifications
