CM અરવિંદ કેજરીવાલે EDના છઠ્ઠા સમન પર હાજર થવાનો કર્યો ઈનકાર, AAPએ ગણાવી ગેરકાનૂની નોટિસ
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લૉન્ડ્રીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટી (AAP)એ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર નહીં થાય.
વળી, AAPએ આ નોટિસને 'ગેરકાયદેસર' પણ ગણાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને છ સમન્સ જાહેર કર્યા છે. તાજેતરનું સમન્સ 14 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમને 19 ફેબ્રુઆરીએ ઈડી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આ મામલામાં AAPનું કહેવું છે કે ઈડીનું સમન્સ ગેરકાયદેસર છે.

જો કાયદેસર રીતે યોગ્ય સમન્સ મોકલવામાં આવશે, તો તે ચોક્કસપણે ઈડી સમક્ષ હાજર થશે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં થાય, તેમનું સમન્સ ગેરકાયદેસર છે. કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સની માન્યતાનો મુદ્દો પણ કોર્ટમાં પેન્ડિંગ છે. આપે કહ્યું હતું કે ઈડી પોતે કોર્ટમાં ગઈ હતી, તેથી તેણે વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.












Click it and Unblock the Notifications
