રાહુલ ગાંધીને તત્કાલ પ્રભાવથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાને લઈ પ્રસ્તાવ પાસ
રાહુલ ગાંધીને તત્કાલ પ્રભાવથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાને લઈ પ્રસ્તાવ પાસ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 બાદથી ચાલી રહેલી કોંગ્રેસ અધ્યક્ષની તલાસ હજી સુધી પૂરી નથી થઈ શકી. રાહુલ ગાંધીએ પદેથી રાજીનામું આપી દીધા બાદથી હજી સુધી સોનિયા ગાંધી પાર્ટીના કાર્યકારીના રૂપમાં અધ્યક્ષ પદ સંભાળી રહ્યાં છે. જો કે ગત બે વર્ષમાં કેટલીયવાર પાર્ટી અધ્યક્ષના પદની ચૂંટણીને લઈ બેઠક થઈ પરંતુ કોંગ્રેસના સભ્યો કોઈ પરિણામ સુધી નથી પહોંચી શક્યા. આ દરમ્યાન દિલ્હી કોંગ્રેસ એકમે રાહુલ ગાંધીને તત્કાલ પ્રભાવથી પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રવિવારે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે દેશના હાલના રાજનૈતિક હાલાત પર ચર્ચા માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીની મજબૂતી અને ભવિષ્યની નીતિઓ પર જરૂરી વિચાર વિમર્શ પણ થયો. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સર્વસંમતિથી ત્રણ પ્રસ્તાવ પાસ કરાયા છે. જેમાંથી એક પ્રસ્તાવમાં રાહુલ ગાંધીને તત્કાલ પ્રભાવથી કોંગ્રેસનું નેતૃત્વ કરવા અને અધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય ગૃહમંતરી અમિત શાહના રાજીનામાંની માંગ કરી છે.
શશિકલાએ કોરોનાને મ્હાત આપી, જલદી જ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થશે