Delhi election result 2025 : દિલ્હી હાર્યા બાદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Delhi election result 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ખરાબ પરાજય થયો છે. અહીં માત્ર પાર્ટી જ નહીં ઘણા મોટા નેતાઓ પણ હાર્યા છે.
આમ આદમી પાર્ટીની હાર સાથે સાથે અરવિંદ કેજરીવાલ ખુદ ચૂંટણી હાર્યા છે. હવે આ મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

Arvind kejriwal on delhi elections Result : દિલ્હી હાર્યા બાદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર મુદ્દે પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "અમે લોકોના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. હું આ વિજય માટે ભાજપને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ લોકોના કલ્યાણ માટે આપેલા તમામ વચનોને પૂર્ણ કરશે.
કેજરીવાલે હાર સ્વીકારી
કેજરીવાલે આગળ જણાવ્યું કે, "અમે છેલ્લા 10 વર્ષોમાં આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ઘણું કામ કર્યું છે. અમે માત્ર રચનાત્મક વિરોધની ભૂમિકા નિભાવશું અને લોકોની વચ્ચે રહીને તેમની સેવા ચાલુ રાખીશું.
Arvind Kejriwal seat result 2025 : કેજરીવાલ ખુદ સીટ હારી ગયા
જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ ખુદ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના પ્રવેશ વર્માએ 3,182 મતોથી હરાવ્યા.
આ પરાજય પર પ્રતિક્રિયા આપતા પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે કહ્યું કે, ઘમંડ કોઈનું લાંબા સમય સુધી નથી ટકતું. રાવણનું પણ ઘમંડ તૂટ્યું હતું, તો આ તો અરવિંદ કેજરીવાલ છે. આજે દિલ્હી સંપૂર્ણપણે કચરાપેટી બની ગઈ છે. રસ્તા તૂટેલા છે, લોકોને પાણી મળતું નથી, હવા પ્રદૂષણ ચરમ પર છે, યમુના સાફ નથી થઈ. લોકો આ મુદ્દાઓથી ત્રસ્ત થઈને આ જનાદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
