આગામી દિવસોમાં 3 હજાર ઇલેક્ટ્રીક્ટ નવી બસો દોડોવામાં આવશે દિલ્હીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વાર કહ્યુ છે કે, સરકાર પ્રદુષણ વિરુદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખશે. શુક્રવારે ડેનમાર્કના રાજદુત ફ્રેન્ડી સ્વાને ઇ ઓટો ચલાવતા એક તસ્વીર શેર કરી હતી. અને દિલ્હીમાં ઇ ઓટો માટે સરકારનો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વાર કહ્યુ છે કે, સરકાર પ્રદુષણ વિરુદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખશે. શુક્રવારે ડેનમાર્કના રાજદુત ફ્રેન્ડી સ્વાને ઇ ઓટો ચલાવતા એક તસ્વીર શેર કરી હતી. અને દિલ્હીમાં ઇ ઓટો માટે સરકારનો આભાર માન્યો હતો. ત્યાર બાદ દિલ્હાના મુખ્મમંત્રી અરવિંદ કેજરીવાલે ફ્રેડી સ્વાનને ટ્વીટ કરીને પ્રદુષણ સામેની સરકારની લડાઇ ચાલુ હોવાનું જણાવ્યુ હતુ.અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, ભારતમાં ડેનમાર્કના રાજદુત ફ્રેડી સ્વાને દિલ્હીમાં છે.
ઓટૉ ચલાવતા જોઇને ખુશી થઇ . દિલ્હી સરકાર 100 ટકા ઇલેન્ટ્રીક વાહનોને અપનાવીને પ્રદુષણ વિરુદ્ધની લડઇ માટે પ્રતિબધ છે. આ પહેલા ડેનમાર્કના રાજદૂત ફ્રેડી સ્વાને પોતાની તસવીર શેર કરતા લખ્યુ હતુ કે, હરિત ભવિષ્ય માટે ઇ ડ્રાઇવિંગ ભારતનો આભાર, ફ્રેડી સ્વાને પોતાના ટ્વીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારત સરકારના નીતિ આયોગને પણ ટેગ કર્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 24 મેં ના રોજ રાજધાનીમાં 150 ઇલેક્ટ્રિક્ટ બસોને લીલી ઝંડી દેખાડી લોકાર્પણ કર્યુ હતુ. કેજરિવાલે જણાવ્યુ હતુ કે, સરકારનું લક્ષ્ય એક વર્ષમાં 2000 ઇલેક્ટ્રીક્ટ બસોને દિલ્હીની સડકો પર ઉતારવાનો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસ બસમાં મુસાફરી ફ્રી રહેશે.