દિલ્લી દારુનીતિઃ રાષ્ટ્રીય રાજધાની સહિત 30 ઠેકાણે EDની રેડ, મનીષ સિસોદિયાના ઘરે કોઈ સર્ચ નહિ
દિલ્લી લિકર પૉલિસીના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના દરોડા ચાલુ છે.
નવી દિલ્લીઃ દિલ્લી લિકર પૉલિસીના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના દરોડા ચાલુ છે. ઈડીએ દિલ્લી, મુંબઈ, ગુરુગ્રામ સહિત 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. આરોપી સમીર મહેન્દ્રુના દિલ્લીના ઘરે સર્ચ ચાલુ છે. ગુરુગ્રામ, લખનઉ, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલુરુ સહિત અન્ય સ્થળોએ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ ઈડીની કોઈ ટીમ હજુ સુધી દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે કે ઑફિસ પહોંચી નથી. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી એક્સાઈઝ પૉલિસી કેસમાં પણ આરોપી છે. ગયા મહિને સીબીઆઈએ મનીષ સિસોદિયાના દિલ્લી સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા.
IAS અધિકારી અને દિલ્લીના ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનર અર્વા ગોપી કૃષ્ણ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ તેની એફઆઈઆરમાં આરોપી મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ એક્સાઈઝ કમિશનર અર્વા ગોપી કૃષ્ણ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી, આસિસ્ટન્ટ એક્સાઈઝ કમિશનર પંકજ ભટનાગર, 9 ઉદ્યોગપતિઓ અને બે કંપનીઓના નામ લીધા છે.
મનીષ સિસોદિયાના આરોપો પર CBIનો પલટવાર
CBI અધિકારીની આત્મહત્યાને લઈને મનીષ સિસોદિયાએ મોટુ નિવેદન આપ્યુ હતુ. જેના પર સીબીઆઈએ પલટવાર કર્યો છે અને સીબીઆઈએ મનીષ સિસોદિયાના આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. તેમણે કહ્યુ કે મનીષ સિસોદિયાનુ નિવેદન ભ્રામક અને તોફાની છે. અમે આનો સખત ઇનકાર કરીએ છીએ. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સીબીઆઈના દિવંગત અધિકારી જિતેન્દ્ર કુમાર આ કેસની તપાસ સાથે કોઈપણ રીતે જોડાયેલા ન હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
