For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની જનતાએ નફરતની રાજનીતિને નકારી, લોકોનું જીવનધોરણ સુધારવાનું અમારૂ લક્ષ્ય: મનીષ સિસોદીયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ બુધવારે પહેલીવાર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી 'આપ' એ બીજી વખત દિલ્હીની 60 થી વધુ બેઠકો

|
Google Oneindia Gujarati News

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ બુધવારે પહેલીવાર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી 'આપ' એ બીજી વખત દિલ્હીની 60 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવી છે. આ જીત આપની નહીં, પરંતુ દિલ્હીની જનતાની છે. મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદ પર રહેશે, તેઓ 16 ફેબ્રુઆરીએ શપથ લેશે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીને મત આપવા બદલ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર જનતા દ્વારા કાર્યના રાજકારણને મત આપવામાં આવ્યો છે. દિલ્હીવાસીઓએ નફરતની રાજનીતિને નકારી કાઢી અને આપને સતત બીજી વખત સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ફક્ત કેજરીવાલ પાસે દિલ્હીના રાજકારણનો વિકાસ મોડેલ છે અને જનતા તેમનું કાર્ય પસંદ કરે છે.

16 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરશે

16 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરશે

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સસ્તી બિજલી અને શુધ્ધ પાણી આપવું એ સાચી રાજનીતિ છે, દિલ્હીવાસીઓએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અમારો પુત્ર છે. ચૂંટણી દરમિયાન નફરત ફેલાઈ હતી જેને દિલ્હીના લોકોએ નકારી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સિસોદિયાએ કહ્યું કે સીએમ કેજરીવાલને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ 16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ઘણા મુખ્યમંત્રી થશે સામેલ

સિસોદિયાએ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આખી દિલ્હીને આમંત્રણ આપ્યું છે. કેટલાક પક્ષના લોકો ઇચ્છતા હતા કે આ સમારોહ અગાઉના સમયની જેમ 14 ફેબ્રુઆરીએ યોજવામાં આવે પરંતુ કેટલાક માને છે કે તે રવિવારે હોવો જોઈએ જેથી વધુ લોકો આવી શકે. ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાન પણ સમારોહમાં ભાગ લઈ શકશે.

સિસોદીયાએ માન્યો આભાર

સિસોદીયાએ માન્યો આભાર

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીને મત આપવા બદલ દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર જનતા દ્વારા કાર્યના રાજકારણને મત આપવામાં આવ્યો છે. દિલ્હીવાસીઓએ નફરતની રાજનીતિને નકારી કાઢી અને આપને સતત બીજી વખત સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ફક્ત કેજરીવાલ પાસે દિલ્હીના રાજકારણનો વિકાસ મોડેલ છે અને જનતા તેમનું કાર્ય પસંદ કરે છે.

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પરિણામો: કેજરીવાલની નવી કેબિનેટમાં કોણ કોણ બની શકે છે મંત્રી, આ નામ આગળ

English summary
Delhi masses reject hate politics: Manish Sisodia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X