For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેએનયુ હિંસા મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે દિલ્હી પોલીસ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 'ગુંડાઓ' દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર મારવાના મામલે દિલ્હી પોલીસ આજે (10 જાન્યુઆરી) સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલ

|
Google Oneindia Gujarati News

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 'ગુંડાઓ' દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર મારવાના મામલે દિલ્હી પોલીસ આજે (10 જાન્યુઆરી) સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસ જેએનયુ હિંસા મામલે મોટું કંઈક જાહેર કરી શકે છે. આપને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ કેટલાક લોકોએ જેએનયુ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ દેશમાં આક્રોશ છે અને જેએનયુ વિદ્યાર્થીઓનાં સમર્થનમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

JNU

નોંધપાત્ર વાત એ છે કે જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા બાદ હોબાળો મચી ગયો છે. બોલિવૂડ સ્ટાર સહિત ઘણા રાજકારણીઓએ પણ આ ઘટનાની કડક નિંદા કરી હતી અને કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. ગુરુવારે જેએનયુના વિદ્યાર્થીઓએ હિંસાના વિરોધમાં દિલ્હીના મંડી હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં દિલ્હી યુનિવર્સિટી અને જામિયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ કૂચ રાષ્ટ્રપતિ ભવન તરફ શરૂ થઈ ત્યારે પોલીસે તેને વચ્ચેથી રોકી હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો હતો. આંબેડકર ભવન નજીક દિલ્હી પોલીસે કેટલાક વિરોધ કરનારા વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી.

English summary
Delhi Police to press conference on JNU violence case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X