લૉકડાઉન વચ્ચે દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કોઈ પણ સ્કૂલ ફી નહિ વધારી શકે
કોરોના વાયરસ(કોવિડ-19) સંકટના કારણે દેશમાં 3 મે સુધી લૉકડાઉન લાગેલુ છે. એવામાં સ્કૂલના બાળકોની ફી વિશે દિલ્લી સરકારે મોટુ એલાન કર્યુ છે.
કોરોના વાયરસ(કોવિડ-19) સંકટના કારણે દેશમાં 3 મે સુધી લૉકડાઉન લાગેલુ છે. એવામાં સ્કૂલના બાળકોની ફી વિશે દિલ્લી સરકારે મોટુ એલાન કર્યુ છે. શુક્રવારે દિલ્લા ઉપ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યુ કે સરકારે આજે નિર્ણય લીધો છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ (ભલે તે સરકારી જમીન પર બનેલી હોય કે બિન સરાકારી જમીન પર) ફી વધારવાની અનુમતિ નહિ આપવામાં આવે. સરકારને પૂછ્યા વિના કોઈ પણ સ્કૂલ ફી વધારી શકશે નહિ.

તેમણે કહ્યુ, કોઈ પણ સ્કૂલ 3 મહિનાની ફી નહિ માંગે, માત્ર એક મહિનાની ટ્યુશન ફી માંગી શકે છે. જે ઑનલાઈન એજ્યુકેન આપવામાં આવી રહ્યુ છે તે બધા બાળકોએ આપવાની રહેશે, જે માતાપિતા ફી ન આપી શકતા તેમના બાળકોએ પણ. કોઈ પણ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન ફી અને અન્ય કોઈ ફી ચાર્જ નહિ કરે.
સિસોદિયાએ કહ્યુ, બધી ખાનગી શાળાઓની એ જવાબદારી હશે કે તે પોતાના બધા સ્ટાફને (ટીચિંગ અને નૉન ટીચિંગ) સમયે સેલેરી ઉપલબ્ધ કરાવે. જો તેમની આવકમાં કોઈ પણ પ્રકારની કમી હોય તો તે પોતાની પેરેન્ટ સંસ્થા પાસેથી પૈસા લઈને તેને પૂરી કરે. જે સ્કૂલ આદેશોનુ પાલન નહિ કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ, મારી જાણમાં એ વાત આવી છે કે ઘણી સ્કૂલ મનમાની રીતે ફી લઈ રહી છે. સ્કૂલ બધ હોવા છતાં ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલી રહી છે. પ્રાઈવટ સ્કૂલોએ આટલા નિમ્ન સ્તરે ઉતરી જવાની જરૂર નથી.
દિલ્લીમાં બાળકોનો અભ્યાસ અને માતાપિતાની મુશ્કેલી વિશે આ કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય છે. રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો શુક્રવારે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ છે કે દિલ્લીમાં આજે કોવિડ-19ના 1640 કેસ છે, આમાં કાલે આવેલા 62 કેસ શામેલ છે. આમાંથી 38ના મોત થઈ ચૂક્યા છે. 34 આઈસીયુમાં છે અને 6 વેન્ટીલેટર પર છે. 1640 કેસમાંથી 885 હોસ્પિટલોમાં ભરતી છે અને બાકી આઈસોલેશન સેન્ટર અને કોવિડ કેર સેન્ટરમાં છે.
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
