Shraddha Murder Case: 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો આરોપી આફતાબ, જણાવ્યુ કેમ કરી શ્રદ્ધાની હત્યા
લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટૂકડા કરનાર આફતાબ પૂનાવાલાને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
Delhi Shraddha Murder Case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટૂકડા કરનાર આફતાબ પૂનાવાલાને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આફતાબે મુંબઈની રહેવાસી શ્રદ્ધાના શરીરના ટૂકડા શહેરની અલગ-અલગ જગ્યાઓ પર ફેંક્યા હતા. એડીસીપી (સાઉથ) અંકિત ચૌહાણે જણાવ્યુ કે મુંબઈથી એક યુવક અને એક યુવતી અહીં આવ્યા હતા. જ્યારે યુવતીના માતા-પિતાની લાંબા સમય સુધી યુવતી સાથે વાત ન થઈ શકી ત્યારે યુવતીના માતા-પિતાએ મુંબઈ પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાંથી તેમને દીકરીનુ આખરી સ્થળ દિલ્લી જાણવા મળ્યુ.
મુંબઈ પોલીસ મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારબાદ દિલ્લી પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી. અંકિત ચૌહાણે જણાવ્યુ કે બંનેમુંબઈમાં કામ કરતા હતા, છોકરાએ અહીં આવ્યા પછી અહીં કામ કરવાનુ શરૂ કર્યુ. છોકરાની ઓળખ આફતાબ પૂનાવાલા તરીકે થઈ છે. બંનેની મુલાકાત એક ઑનલાઈન ડેટિંગ એપ પર થઈ હતી.
અકિંત ચૌહાણે વધુમાં કહ્યુ કે ધીમે-ધીમે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. ઝઘડા બાદ યુવકનુ માથુ ભમ્યુ અને ગુસ્સામાં તેણે ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ જણાવ્યુ કે તેણે છોકરીના ટુકડા-ટૂકડા કરી દીધા અને તેના ભાગોને નજીકના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા. અમે છોકરાની ધરપકડ કરી લીધી છે અને કાર્યવાહી ચાલુ છે.