Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્લીમાં ગરમીમાં નહિ થાય પાણીની કોઈ સમસ્યા, સૌરભ ભારદ્વાજે પ્લાન

દિલ્લી જળ બોર્ડ પાણી પુરવઠામાં સુધારો કરવા માટે અનેક પગલાં લઈ રહ્યુ છે. આ અંતર્ગત ધારાસભ્યો સાથે ચર્ચા કરીને સમર એક્શન પ્લાન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

Delhi News: દિલ્લી જળ બોર્ડ ઉનાળા પહેલા પાણી પુરવઠામાં સુધારો કરવા માટે અનેક પગલાં લઈ રહ્યુ છે. દિલ્લી જળ બોર્ડ ઉનાળાની તૈયારીઓને મજબૂત કરવા માટે સમર એક્શન પ્લાન તૈયાર કરી રહ્યુ છે. આ અંતર્ગત ધારાસભ્યો સાથે ચર્ચા કરીને સમર એક્શન પ્લાન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ શ્રેણીમાં ગુરુવારે દિલ્લી જળ બોર્ડના મુખ્યાલયમાં ધારાસભ્યો સાથે બીજી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિધાનસભાના ધારાસભ્યોએ ભાગ લીધો હતો.

Saurabh Bhardwaj

દિલ્લી જળ બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજે જણાવ્યુ હતુ કે આ બેઠકમાં વિવિધ વિધાનસભા ક્ષેત્રોની પાણી સંબંધિત સમસ્યાઓ અને તેના ઉકેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્લી જળ બોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દિલ્લી જળ બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજે અધિકારીઓને ઉનાળા પહેલા પાણી પુરવઠાને સુધારવા માટે તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

દિલ્લીમાં વીજળીનુ વિતરણ કરતી ટાટા પાવર દિલ્લી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ એટલે કે TPDDL દ્વારા પલ્લા વિસ્તારમાં વીજળીની લાઇન નાખવામાં આવી રહી છે. એ જ રીતે, આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠા માટે દિલ્લી જળ બોર્ડ દ્વારા 151 ટ્યુબવેલ અને વરસાદી કૂવાઓ બનાવવામાં આવ્યા છે. દિલ્લી જળ બોર્ડ દ્વારા અહીં અત્યાર સુધીમાં 119 ટ્યુબવેલ ચાલુ કરવામાં આવ્યા છે. TPDDL પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ બાકીના 32 ટ્યુબવેલ અને 5 વરસાદી કૂવાઓ પણ કાર્યરત કરવામાં આવશે.

ટીપીડીડીએલનો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ ટ્યુબવેલ અને વરસાદી કૂવાને વીજ પુરવઠો મળી શકશે. દિલ્લી જળ બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજે અધિકારીઓને ટીપીડીડીએલને પત્ર લખીને અને વાટાઘાટો દ્વારા વહેલી તકે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી બાકીના ટ્યુબવેલ અને રેની વેલને પણ પાણી પુરવઠામાં સુધારો કરવા માટે ચાલુ કરી શકાય.
આ બેઠકમાં કિરારીના ધારાસભ્ય ઋતુરાજ ગોવિંદે પણ ભાગ લીધો હતો. ઋતુરાજે જણાવ્યુ કે પહેલા તેમના વિસ્તારના ઘણા વિસ્તારોમાં પાણીની તંગી હતી પરંતુ હવે દિલ્લી જળ બોર્ડના પ્રયાસોને કારણે વિસ્તારના પાણી પુરવઠામાં સુધારો થયો છે. કિરારીના લોકોને હવે પહેલા કરતા વધુ સારી પાણી પુરવઠાની સુવિધા મળી રહી છે. ઋતુરાજે પાણી પુરવઠામાં સુધારા માટે મુખ્યમંત્રી કેજરીવાલજી અને DJB અધિકારીઓનો આભાર માન્યો.

મીટિંગ દરમિયાન નાંગલોઈના ધારાસભ્ય રાઘવેન્દ્ર શોકેને દિલ્લી જળ બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજને કહ્યુ કે અમારી વિધાનસભામાં દિલ્લી જળ બોર્ડ દ્વારા પાણીની લાઈન નાખવામાં આવી છે પરંતુ રસ્તાનુ સમારકામ કરવાનુ બાકી છે. સૌરભ ભારદ્વાજે કહ્યુ કે આ રસ્તાઓના સમારકામ માટેનુ ફંડ દિલ્લી જળ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

રસ્તાની જાળવણી ન થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરભ ભારદ્વાજે જણાવ્યુ હતુ કે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગને પત્ર લખીને આ બાબત વિભાગના ધ્યાન પર લાવવામાં આવશે અને ફ્લડ વિભાગને ટૂંક સમયમાં રસ્તાઓનુ સમારકામ શરૂ કરવા વિનંતી કરવામાં આવશે. સૌરભ ભારદ્વાજે ડીજેબીના અધિકારીઓને પૂર વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને મામલો જલ્દી ઉકેલવા સૂચના આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X