દિલ્લી હિંસાઃ 13 એપ્રિલ સુધી સુનાવણી ટળી, ભડકાઉ ભાષણો પર HCએ માંગ્યો 4 સપ્તાહમાં જવાબ

નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં થયેલી હિંસા અંગેની અરજી પર કોર્ટે સુનાવણી 13 એપ્રિલ સુધી ટાળી દીધી. કોર્ટે સમગ્ર કેસમાં કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે.

નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં થયેલી હિંસા અંગેની અરજી પર ગુરુવારે દિલ્લી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. દિલ્લી પોલિસે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે જવાબ માંગ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે કોર્ટે ભડકાઉ ભાષણ મામલે કાર્યવાહી કરવા માટે જવાબ માંગ્યો હતો જ્યારે આ નિવેદન 1-2 મહિના પહેલાનુ છે. તુષાર મહેતાએ દિલ્લી હિંસા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનબાજી પર એફઆઈઆર નોંધવાનો વિરોધ કરીને કહ્યુ કે આના માટે હજુ માહોલ અનુકૂળ નથી.

delhi

જો કે અરજીકર્તાના વકીલે તુષાર મહેતાની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યુ, ઉત્તર પૂર્વી દિલ્લીમાં હિંસાના વિવિધ કેસોમાં અત્યાર સુધી 48 એફઆઈઆર નોંધવામાં આવી છે. તો હવે એફઆઈઆર કેમ નહિ? અરજીકર્તા તરફથી અન્ય વકીલ કોલીન ગોંઝાલવીસે કહ્યુ કે તે ધરપકડ માટે દબાણ નથી કરી રહ્યા પરંતુ એક એફઆઈઆર તો નોંધો. જો પુરાવા ન મળ્યા તો એફઆઈઆર રદ થઈ શકે છે.

તુષાર મહેતાએ કેન્દ્રને પણ આ કેસમાં એક પક્ષ બનાવવાની માંગ કરી હતી જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો. આ કેસમાં કોર્ટે સુનાવણી 13 એપ્રિલ સુધી ટાળી દીધી. કોર્ટે સમગ્ર કેસમાં કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. આ કેસમાં સુનાવણી ચીફ જસ્ટીસ ડીએન પટેલ અને જસ્ટીસ હરશંકરની બેંચે કરી. આ પહેલા જસ્ટીસ મુરલીધર અને જસ્ટીસ તલબંત સિંહેની અદાલતે સુનાવણી કરી હતી.

બુધવારે નૉર્થ-ઈસ્ટ દિલ્લીમાં થયેલી હિંસા અંગેની અરજી પર દિલ્લી હાઈકોર્ટના ભડકાઉ ભાષણો વિશે એફઆઈઆર ના થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે પોલિસને ફટાકર લગાવતા પૂછ્યુ કે હજુ કેટલા મોતની રાહ જોઈ રહ્યા છો? તમે ક્યારે ભડકાઉ વીડિયો મામલે એફઆઈઆર કરશો. અદાલતે પોલિસને કહ્યુ છે કે ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ પર એફઆઈઆર થવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X