સીએમના નિર્દેશ પર G 20 Summit પહેલા દુલ્હનની જેમ દિલ્હીનો સણગાર: ભારદ્વાજ
દિલ્હીના મંત્રીએ કહ્યુ કે, સીએમ ના નિર્દેશ પર જી 20 શિખર સમ્મેલનની યજમાની માટે દિલ્હીને દુલ્હનની જેમ સણગારવામાં આવી છે. દિલ્હીની સડકને સાફ અને સુદંર બનવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં પર્યટકોને કોઇ જ સમસ્યાનો સામનો નહી કરવો પડે.તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યુ કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, જ્યારે વિવિધ દેશોના પ્રતિનિધિઓ પોત પોતના દેશોમાં પરત ફરે તો અરવિંદ કેજરીવાલની દિલ્હીની સુંદરતાના વખાણ કરે. તેમણે કહ્યુ કે, ભારતની જી 20ની અધ્યક્ષતા ભારત પાસે છે. જે દેશ માટે ગૌરવની વાત છે.
જણાવી દઇએ કે, દિલ્હીમાં થનાર જી 20 સમિટને લઇને દિલ્હી સરકારે ખાસ તૈયારી કરી છે. સુરક્ષાની દ્રષ્ટીએ દિલ્હી સરકારે ત્રણ દિવસ સાર્વજનિક રજાની જાહેરાત કરી છે. સચિવાલયની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જી 20 દેશોની સમિટને લઇને પીએમ મોદીએ કહ્યુ કે, સપ્ટેમ્બરનો મહાલ દુનિયાને ભારતની ક્ષમતાની ઝલક આપશે. અમે આગામી મહિન દિલ્હીમાં નથાન જી 20 લીડર્સ સમિટની યજમાની માટે પુરી રીતે તૈયાર છીએ. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર 40 દેશો અને કઇ વૈશ્વિક સંગઠનોના પ્રમુખ અંહિયા આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ કે, આ વર્ષે જી 20 સમ્મેલન ઇતિહાસમાં સૌથી મોટી ભાગીદારી જોઇ શકાય છે.












Click it and Unblock the Notifications
