National Commission for Men: 'આદમિઓ માટે લગ્ન બાદની ઘરેલુ હિંસાથી બચવા માટે બને રાષ્ટ્રીય આયોગ'
National Commission for Men: લગ્ન બાદ પુરુષોની ઘરેલુ હિન્સા અને આત્મહત્યાથી રક્ષા માટે રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાની માગ ઉઠી છે. આ માંગને લઇને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે
National Commission for Men: લગ્ન કરેલા પુરુષોની આત્મ હત્યાના વધતા કેસોને જોતા સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમા માંગ કરવામાં આવી છે કે, આ મામલે શોધ થવી જોઇએ. લગ્ન બાદ પુરુષ ઘરેલુ હિન્સા સહિત તમામ મુદ્દાની લીધે આત્મહત્યા કરી લે છે. આ સમસ્યાને ગંભીરતાથી લેતા પુરુષો માટે રાષ્ટ્રીય કમીશનનું ગઠન કરવામાં આવવુ જોઇએ. જ્યાં પુરુષો સાથે જોડાયેલા મામલાનું નિરાકરણ લાવામાં આવે. સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ મહેશ કુમાર તિવારીએ આ અરજી દાખલ કરી છે.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, કમિશન ઇંડિયાને નિર્દેશ આપવામાં આવે કે, લગ્ન કરેલા પુરુષો વિરુદ્ધ વધતા જતા પારિવારીક અફરાધ, આત્મહત્યાના મામલો પર સંશોધન કરે. તેને લઇને એક રિપોર્ટ તૈયાર કરે અને નેશનલ કમીશન ફોર મેનનું નિર્માણ કરવામાં આવે. જેથી કરીને આ પ્રકારના મામલ સાથે જોડાયેલા પુરુષ આ કમીશન પાસે આવી શકે. અરજીકર્તાએ કહ્યુ છે કે, દેશમાં લગ્ન બાદ પુરુષોની આત્મહત્યાના મામલમાં વધારો થયો છે. દર વર્ષે 8 લાખ વિવાહિત પુરુષ આત્મહત્યા કરે છે. આ આંકડા એનસઆરબીનો છે.












Click it and Unblock the Notifications
