'એક લોકગાયિકાના અવાજથી ડરી ગયુ ભાજપ', નેહા સિંહ રાઠોડના સમર્થનમાં ઉતર્યા મનીષ સિસોદિયા
નેહા સિંહ રાઠોડ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાજપ સરકારને ઘેરીને જોરદાર નિશાન સાધ્યુ છે.
Neha Singh Rathore: 'યુપીમે કા બા' દ્વારા સત્તાને સવાલ કર્યા બાદ ગાયિકા નેહા સિંહ રાઠોડ(Neha Singh Rathore)છવાઈ ગયા બાદ કાનપુર પોલીસે તેમને એક નોટિસ પકડાવી દીધી છે. જેમાં તેમની સામે આરોપ છે કે તેમને 'કા બા સિઝન- 2' ગીત દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનુ કામ કર્યુ છે. વાસ્તવમાં, આ ગીત નેહા સિંહ રાઠોડે કાનપુરના અગ્નિકાંડને મુદ્દો બનાવીને ગાયુ હતુ. વળી, હવે કાનપુર પોલીસે નોટિસમાં તેમને સાત સવાલ કર્યા છે, જેનુ સ્પષ્ટીકરણ તેમણે ત્રણ દિવસમાં આપવાનુ છે.

નેહા સિંહ રાઠોડને મોકલવામાં આવેલી પોલીસની નોટિસ બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાજપ સરકારને ઘેરીને જોરદાર નિશાન સાધ્યુ છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યુ, 'પોતાના લોકગીતો દ્વારા સત્તાને બેબાક સવાલ પૂછનાર લોકપ્રિય ગાયિકા નેહા સિંહ રાઠોડે જ્યારે ગાયુ કે 'યુપીમે કા બા?' તો ભાજપ સરકારે તેમના ઘરે પોલીસના હાથે નોટિસ મોકલાવી દીધી... એક લોકગાયિકાના અવાજથી આટલી ડરી ગઈ ભાજપ? શરમજનક. ખૂબ જ શરમજનક છે આ.'
अपने लोकगीतों के ज़रिए सत्ता से बेबाक़ सवाल पूछने वाली लोकप्रिय गायिका @nehafolksinger ने जब गाया कि “यूपी में का बा?” तो बीजेपी सरकार ने उनके घर पुलिस के हाथों नोटिस भिजवा दिया…
— Manish Sisodia (@msisodia) February 22, 2023
एक लोकगायिका की आवाज़ से इतना डर गई बीजेपी?
शर्मनाक. बेहद शर्मनाक है ये. https://t.co/CVWKzwSDxz
આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ નેહા સિંહ રાઠોડને સમર્થન આપ્યુ છે. અખિલેશ યાદવે નેહા સિંહ રાઠોડના સમર્થનમાં ટ્વિટ કરીને લખ્યુ,
'યુપી મે કા બા
યુપીમે જૂઠે કેસોકી બહાર બા
યુપીમે ગરીબ-કિસાન બેહાલ બા
યુપીમે પિછડે-દલિતો પર પ્રહાર બા
યુપીમે કારોબાર કા બંટાધાર બા
યુપીમે ભ્રષ્ટાચાર હી ભ્રષ્ટાચાર બા
યુપીમે બિન કામ કે બસ પ્રચાર બા
યુપીમે અગલે ચૂનાવ કા ઈંતજાર બા
યુપીમે અગલી બાર ભાજપ બહાર બા'
સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના હેન્ડલે ટ્વિટ કર્યુ છે કે, 'યુપીમાં કા બા ગાઈને ભાજપ સરકારને અરીસો દેખાડનાર લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને ભાજપ શાસિત યોગી સરકારે પોલીસ નોટિસ મોકલી છે. ચોક્કસપણે ભાજપ સરકારનો ચહેરો કદરૂપો, ક્રૂર અને વિકૃત છે. તેથી જ આ સરકાર અરીસાથી ડરે છે અને અરીસો દેખાડનારાઓને નોટિસ/જેલ મોકલે છે. શરમ કરે ભાજપ.'












Click it and Unblock the Notifications
