TMC નેતાના કૃષિ ભવન સામે ઘરણા, જાણો શું છે પુરો મામલો?
સાંસદ અભિષેક બેનર્જીની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં કૃષિ ભવન સામે ધરણા પર બેઠુ હતુ. આ નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ તેમને અપોઈન્ટમેન્ટ આપ્યા બાદ પણ સમય ન આપ્યો,
ધરણા બાદ જોરદાર વિરોધને કારણે પોલીસે અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓની અટકાયત કરાઈ છે.

આ મામલે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે, અમે આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને મળવા જઈ રહ્યા હતા. અમે 90 મિનિટ રાહ જોઈ. તે પછી અમને કહેવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી તેમને મળી શકશે નહીં.
તેમણે આગળ કહ્યું કે, સાધ્વી નિરંજન આજે સાંજે 4 વાગ્યે સુવેન્દુ અધિકારીને મળ્યા પરંતુ તેમને અહીં રાહ જોવડાવી. આ સ્પષ્ટ કરે છે કે તે મળવા માંગતી ન હતી. ટીએમસી નેતાએ કહ્યું કે અમે મળ્યા વિના નહીં જઈએ અને અહીં બેસીશું.
અહેવાલ અનુસાર, પ્રતિનિધિમંડળના સભ્યોની સંખ્યાને લઈને વિવાદ થયો હતો. ટીએમસીના કુલ 8 નેતાઓ મંત્રીને મળવા ગયા હતા પરંતુ તેમની ઓફિસમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર 5ને જ મળવા દેવામાં આવશે. આના પર ટીએમસી પ્રતિનિધિમંડળ મક્કમ રહ્યું અને કહ્યું હતું કે જ્યાં સુધી તમામ 8ને મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેઓ નહીં જાય.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ એક વીડિયો ટ્વીટ કરીને TMCના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે, આજે 02:30 કલાકનો સમય વેડફાયો. આજે હું તૃણમૂલ સાંસદોની રાહ જોઈને 08:30 વાગ્યે ઓફિસથી નીકળી ગઈ.
મારી માહિતી મુજબ, તૃણમૂલ સાંસદો અને બંગાળના મંત્રીઓના પ્રતિનિધિમંડળે 6 વાગ્યે ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી.
જણાવી દઈએ કે, કેન્દ્ર અને ટીએમસી વચ્ચે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. 2 ઓક્ટોબરે TMC નેતાઓએ અભિષેક બેનર્જીના નેતૃત્વમાં રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે રાજ્ય માટે વિશેષ ભંડોળની માંગ કરી રહ્યા હતા. જે બાદમાં પોલીસે તેમને ત્યાંથી હટાવ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
