TMC નેતાના કૃષિ ભવન સામે ઘરણા, જાણો શું છે પુરો મામલો?
સાંસદ અભિષેક બેનર્જીની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં કૃષિ ભવન સામે ધરણા પર બેઠુ હતુ. આ નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ તેમને અપોઈન્ટમેન્ટ આપ્યા બાદ પણ સમય ન આપ્યો,
ધરણા બાદ જોરદાર વિરોધને કારણે પોલીસે અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓની અટકાયત કરાઈ છે.

આ મામલે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે, અમે આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને મળવા જઈ રહ્યા હતા. અમે 90 મિનિટ રાહ જોઈ. તે પછી અમને કહેવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી તેમને મળી શકશે નહીં.
તેમણે આગળ કહ્યું કે, સાધ્વી નિરંજન આજે સાંજે 4 વાગ્યે સુવેન્દુ અધિકારીને મળ્યા પરંતુ તેમને અહીં રાહ જોવડાવી. આ સ્પષ્ટ કરે છે કે તે મળવા માંગતી ન હતી. ટીએમસી નેતાએ કહ્યું કે અમે મળ્યા વિના નહીં જઈએ અને અહીં બેસીશું.
અહેવાલ અનુસાર, પ્રતિનિધિમંડળના સભ્યોની સંખ્યાને લઈને વિવાદ થયો હતો. ટીએમસીના કુલ 8 નેતાઓ મંત્રીને મળવા ગયા હતા પરંતુ તેમની ઓફિસમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર 5ને જ મળવા દેવામાં આવશે. આના પર ટીએમસી પ્રતિનિધિમંડળ મક્કમ રહ્યું અને કહ્યું હતું કે જ્યાં સુધી તમામ 8ને મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેઓ નહીં જાય.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ એક વીડિયો ટ્વીટ કરીને TMCના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે, આજે 02:30 કલાકનો સમય વેડફાયો. આજે હું તૃણમૂલ સાંસદોની રાહ જોઈને 08:30 વાગ્યે ઓફિસથી નીકળી ગઈ.
મારી માહિતી મુજબ, તૃણમૂલ સાંસદો અને બંગાળના મંત્રીઓના પ્રતિનિધિમંડળે 6 વાગ્યે ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી.
જણાવી દઈએ કે, કેન્દ્ર અને ટીએમસી વચ્ચે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. 2 ઓક્ટોબરે TMC નેતાઓએ અભિષેક બેનર્જીના નેતૃત્વમાં રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે રાજ્ય માટે વિશેષ ભંડોળની માંગ કરી રહ્યા હતા. જે બાદમાં પોલીસે તેમને ત્યાંથી હટાવ્યા હતા.












Click it and Unblock the Notifications
