શું ઝેર આપવાના કારણે થયું હતું મુખ્તાર અંસારીનું મોત? મેજેસ્ટ્રિયલ રિપોર્ટમાં થયો ખુલાસો
Mukhtar Ansari Death: માફિયા મુખ્તાર અંસારીના મોત મામલે મેજિસ્ટ્રેટ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ સરકારને તપાસ રિપોર્ટ પણ સોંપ્યો છે, જેમાં મુખ્તારના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું છે. મેજિસ્ટ્રિયલ તપાસમાં હાર્ટ એટેકના કારણે મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ તેમના મૃત્યુના કારણો પર સતત સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારબાદ મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવી હતી. બાંદાના જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંદા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ પર પરિવારજનોએ ન આપી કોઈ પ્રતિક્રિયા - તપાસ રિપોર્ટ આવ્યા બાદ મુખ્તાર અંસારીના પરિવારજનોને નોટિસ પણ મોકલવામાં આવી હતી, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો.
મુખ્તારના પરિવારને મોકલવામાં આવેલી નોટિસમાં મૃત્યુના કારણ અંગે વાંધો અથવા પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ પરિવારના કોઈ સભ્યએ જવાબ આપ્યો ન હતો.

આ તપાસ રિપોર્ટ લગભગ 10 દિવસ પહેલા ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મુખ્તારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
28 માર્ચે થયું હતું મોત - નોંધનીય બાબત છે કે, 28 માર્ચે માફિયા મુખ્તાર અંસારીની તબિયત જેલમાં લથડી હતી. જેલ પ્રશાસન દ્વારા તેને તાકીદે બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ બાદ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, મુખ્તારના પરિવારજનો અને વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યા હતા કે, મુખ્તારને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું.
સતત આરોપો બાદ બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલાની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા, જેનો રિપોર્ટ આવી ગયો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
