શું મહિંદા રાજપક્ષેની હારમાં રૉની ભૂમિકા હતી, ભારતે કર્યો ઇનકાર
નવી દિલ્હી, (વિકિ નાન્જપ્પા): એક રિપોર્ટની માનીએ તો શ્રીલંકાએ ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એનાલિસિસ વિંગ(રૉ)ના કોલંબો સ્ટેશન ચીફને સસ્પેન્ડ કરી દીધા છે. રોયટર પોલિટિકલ અને ઇંટેલીજન્સ સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. રૉના સ્ટેશન ચીફ પર વિપક્ષી દળોની સાથે મળીને મહિંદા રાજપક્ષેની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારમાં ભૂમિકા નિભાવવાનો આરોપ છે અને આ આરોપ બાદ જ શ્રીલંકાએ આ નિર્ણય કર્યો હતો. મામલો ડિસેમ્બર 2014નો છે એટલે કે શ્રીલંકામાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીના બરાબર પહેલા.

રૉના સ્ટેશન ચીફને સસ્પેન્ડ કરવા અંગે રાજપક્ષે તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી. બીજી તરફ નવી સરકારનું કહેવું છે કે તેમને આ પ્રકારના રિપોર્ટની જાણકારી મળી છે, પરંતુ તેઓ હાલમાં આ સમાચારને કન્ફર્મ ના કરી શકે. કોલંબો અને નવી દિલ્હીના સૂત્રોના હવાલાથી રિપોર્ટ આવી છે કે રૉના સ્ટેશન ચીફને પરત બોલાવવા માટે રાજપક્ષેએ ભારત સરકારને જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
