દિગ્વિજય સિંહએ સર્જિકલ સ્ટ્રાઇક વાળા નિદવન પર કોગ્રેસે કર્યો બચાવ, વ્યક્તિગત વિચાર
દિગ્વિજય સિંહે આવેલા નિવેદનથી કોગ્રેસે પોતાને અલગ કરી લીધી છે. દિગ્વિજય દ્વારા પુલવામાં આતંકવાદી ઘટના અને સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠઆવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના ફુલવામામા થયેલા આતંકવાદી હૂમલા અને સર્જિકલ સ્ટારઇકને લઇને કોગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે કોગ્રેસની ભારત જોોડો યાત્રા જમ્મુમા છે, ત્યાર યાત્રા દરમિયાન દિગ્વીજયસિહએ કહ્યુ કે, પુલવામા હુમલાની આજ સુધી કોઇ રિપોર્ટ બહાર નથી પાડપામાં આવી. અને ના કોઇ 2016ની સર્જીકલ સ્ટ્રાઇક આટલા વર્ષ બાદ પણ કોઇ સબુત નથી આપવામાં આવ્યુ. તો દિગ્વિજયસિહ ના નિવદન પર કોગ્રેસે આને વ્યક્તિગત રાય કહીને તેનાથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો.
કોગ્રેસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં કહ્યુ કે, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર તેમના પોતાના છે. કોગ્રેસ આ સ્થિતિને પ્રતિબિંબિત નથી કરતી. 2014 પહેલા યૂપીએ સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. કોગ્રેસે રાષ્ટ્રીય હીતમાં તમામ સૈન્ય કાર્યવાહીનું સમર્થન કર્યુ છે. અને સમર્થન કરવાનુ ચાલુ રાખશે.
જણાવી દઇ કે, નેતા દિગ્વિજય સિંહ ભારત જોડો ય્તારમાં કેન્દ્ર સરકાર પર ખોટા નિર્ણયનો પણ આરો લગાવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલા વર્ષો બાદ આજ સુધી સાસંદમાં સેના દ્વારા 2016 માં કરવામાં આવેલ સ્ટ્રાઇકની રિપોર્ટ અે 2019 માં પલવામાં આતંકવાદી હૂમલાનો રિપોર્ટ કેમ રજુ નથી કરવા આવ્યો. તેમણે કહ્યુ કે આપણઆ સિઆરપીએફના 40 જવાન પુલવામાં મા શહિદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને અનુરોધ કર્યો હતો કે, કર્મિઓને એર લિફ્ટ કરવા જોઇએ. પરંતુ પીએમ મોદી સહમત નહોતા થયા. આવી મોટી ચૂક કેવી રીતે થઇ? આજ સુધી સંસદમાં પુલવામાંની કોઇ રિપોર્ટ કેમ નથી રાખવામાં આવી.
કોગ્રેસ નેતા રાજૌરી ધનનગર અને જમ્મુના નરવાલમાં થયેલા વિસ્ફોટ અને આતંકવાદી હૂમલાની નિંદા કરી હતી.