કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહના પત્નીનું નિધન

હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે આશાને જ્યારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા ત્યારે કેમનું કેન્સર ખુબ જ વધી ગયું હતું. એક સિનિયર ડ઼ોક્ટરે જણાવ્યું કે તેમણે સાંજે સાત વાગ્યે છેલ્લા શ્વાસ લીધા અને તે સમયે દિગ્વીજયસિંહ સહિત તેમનો આખો પરિવાર તેમની સાથે હતો.
થોડા મહીના પહેલા અમેરિકાની એક હોસ્પિટલમાં પણ તેમના કેન્સરનો ઉપચાર કરવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની પત્ની આશાદેવી સિંહના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ પોતાના શોક સંદેશમાં આશાદેવીને સુસંસ્કૃત અને મધુભાષી ગણાવ્યા અને કહ્યું કે તે પ્રિયજન અને પ્રજાજનમાં સ્નેહપૂર્ણ વ્યવહાર માટે ઓળખાતા હતા.












Click it and Unblock the Notifications
