For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ મુદ્દે દિગ્વિજય-સુષમા વચ્ચે ટ્વીટ વોર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ આસારામની ધરપકડ બાદ કોંગ્રેસ અને ભાજપમાં ટ્વિટર વોર શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ મહાસચિવ દગ્વિજય સિંહે રવિવારે આરોપ લગાવ્યો કે મહિલાઓ વિરુદ્ધ હુમલાઓ અંગે ભાજપનું વલણ બેવડું છે અને તેમણે આસારામ બાપુ મુદ્દે મૌન સેવી રાખ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, ભાજપનું વલણ બેવડું છે. જ્યારે કોઇ અન્ય આવા ગુનામાં સામેલ હોય છે તો તે ઘણો શોર મચાવે છે, પરંતુ તેમાંથી કોઇ સામેલ હોય તો ચુપ્પી સાધી લે છે.

દિગ્વિજયે ટ્વીટમાં કહ્યું કે, મારા વિચારે તે(મોદી) તેમની છબીને લઇને ઘણા સતર્ક છે. તેમણે ભાજપ નેતા સુષમા સ્વરાજ પર પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું, મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધો પર સુષમા સ્વરાજ ભાજપના સૌથી મુખ્ય વાણી છે. તે કેમ ચૂપ છે. દિગ્વિજય સિંહે જવાબ આપતા સુષમાએ ટ્વિટર પર કહ્યું, કોઇ મોટા કે નાના નથી અને કાયદો પોતાનું કામ કરશે.

digvijay_sushma
કોંગ્રેસ નેતાએ એક સમાચાર ચેનલમાં કહ્યું, જો નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે ન્યાય થાય તો તેમણે ગુજરાતમાં આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોની થયેલી મોતની ન્યાયિક તપાસની રિપોર્ટ સાર્વજનિક કરવી જોઇએ. તેમણે આ અપરાધમાં સામેલ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી શા માટે ના કરી.
English summary
Congress General Secretary Digivijay Singh and Sushma Swaraj literally engaged on a Twitter war at the Asaram sexual assault case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X