સદગુરુએ દિવાળી પર ફટાકડા પરના પ્રતિબંધનો કર્યો વિરોધ, વાયુ પ્રદૂષણની ચિંતા કરનારાઓને આપી સીખ
સદગુરુએ દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.
નવી દિલ્લીઃ દિવાળી પહેલા દિલ્લી, રાજસ્થાન, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાયુ પ્રદૂષણના વધતા જોખમના કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા અને વેચવા પર રોક લગાવી દીધી છે. જ્યાં મોટાભાગના લોકો આ નિર્ણયનુ સમર્થન કરી રહ્યા છે. ધર્મગુરુ સદગુરુગ જગ્ગી વાસુદેવે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. સદગુરુએ દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે દિવાળી પહેલા એક ટ્વિટ કર્યુ ત્યારબાદ તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સદગુરુએ ટ્વિટ કરીને કહ્યુ કે દિવાળી પર ફટાકડા ફોડવાથી ન રોકો. વાયુ પ્રદૂષણની ચિંતા કરનારા બાળકોને મસ્તીથી રોકવાનુ કારણ ન બની શકે. તેમણે લોકોને સીખ આપી,જે વાયુ પ્રદૂષણના નામે ફટાકડા પર લાગેલા પ્રતિબંધનુ સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે વાયુ પ્રદૂષણના કારણે ફટાકડા ફોડવાથી રોકવાને બદલે તમે પોતાની ઑફિસે ચાલીને જાવ. દિવાળીમાં બાળકોને ફટાકડા ફોડવાની મઝા લેવા દો.