ડીકે શિવકુમારઃ આ જ છે ભાજપના હાથમાંથી બાજી છીનવી લેનાર શખ્સ
કર્ણાટકના રાજકીય નાટકનું ક્લાઈમેક્સ લગભગ સમાપ્ત થઈ ગયુ છે. ભાજપના સીએમ બીએસ યેદિયુરપ્પાએ બહુમત પરીક્ષણ પહેલા જ રાજીનામુ આપી દીધુ છે.
કર્ણાટકના રાજકીય નાટકનું ક્લાઈમેક્સ લગભગ સમાપ્ત થઈ ગયુ છે. ભાજપના સીએમ બીએસ યેદિયુરપ્પાએ બહુમત પરીક્ષણ પહેલા જ રાજીનામુ આપી દીધુ છે. આ વખતે તે માત્ર અઢી દિવસના કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા. તેમણે વિધાનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, "હું પાછો આવીશ, 150 થી વધુ સીટો જીતીને બતાવીશ." યેદિયુરપ્પાના રાજીનામા સાથે હવે સ્પષ્ટ થઈ ગયુ છે કોંગ્રેસ અને જેડીએસ મળીને કર્ણાટકમાં સરકાર બનાવશે. કર્ણાટકમાં કોંગ્રેસની આ જીતનો શ્રેય જો કોઈ એક શખ્સને જાય છે તો તે છે ડીકે શિવકુમાર. તો આવો તમને આ જીતના મેન ઓફ ધ મેચ બનેલા ડીકે શિવકુમારની રણનીતિ વિશે બતાવીએ જેણે ભાજપને બહુમત સાબિત કરવાથી દૂર રાખ્યા.

ધારાસભ્યોને એકસાથે રાખવાનું કામ ખૂબ સરસ રીતે નિભાવ્યુ ડીકે શિવકુમારે
કર્ણાટકમાં જેવી ત્રિશંકુ સરકારના રૂઝાન દેખાયા કે તરત જ કોંગ્રેસે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને કામે લગાવી દીધા. ગુલામ નબી આઝાદે સ્હેજ પણ વાર કર્યા વિના પોતાના વર્તુળની ચકાસણી કરી અને પછી કુમારસ્વામી સાથે વાત કરી. ભાજપ કોઈ ખેલ રચે તે પહેલા ગુલામ નબીએ કામ કરી દીધુ. કુમારસ્વામી સાથે પડદા પાછળ વાત થઈ અને બંને પક્ષો (કોંગ્રેસ અને જેડીએસ) સાથે આવી ગયા. પરંતુ આ ડીલમાં બંને પક્ષોના મોટા નેતા સાથે આવ્યા હતા. મામલો તો ધારાસભ્યો પર આવીને અટકી ગયો હતો. અને તેમને બચાવીને રાખવાનું ખૂબ જરૂરી હતુ નહિતર તેમની આંતરાત્મા જાગી જતી અને કોંગ્રેસનો ખેલ બગડી જતો. માટે કોંગ્રેસે આ મની બેગની જવાબદારી ડીકે શિવકુમારના હાથમાં સોંપી દીધી. ડીકે શિવકુમારે આ જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવી અને સંકટમોચન બનીને સામે આવ્યા.

ડીકે શિવકુમારના નિવેદને પણ ભર્યો દમ
કર્ણાટકના પૂરા ઘટનાક્રમમાં કોંગ્રેસ માટે સૌથી મોટુ શસ્ત્ર સાબિત થયા. ડીકે શિવકુમારે કોંગ્રેસના બે ધારાસભ્યોને નિવેદન આપ્યું. ડીકે શિવકુમારે કહ્યુ કે પ્રતાપ ગૌડા પહોંચી ચૂક્યા છે અને ધારાસભ્યની શપથ લેશે. શિવકુમારે કહ્યુ કે ત્યારબાદ તે કોંગ્રેસ માટે મત આપશે, તે કોંગ્રેસ સાથે છેતરપિંડી નહિ કરે. શિવકુમારે કહ્યુ કે પાટિલ અને આનંદ સિંહ બાદમાં કહેશે કે કોણે તેમને બંધક બનાવ્યા. તેમણે કહ્યુ કે બંને ધારાસભ્ય શપથ ગ્રહણ કર્યા બાદ કોંગ્રેસ માટે મત આપશે.

કોંગ્રેસના છે સંકટમોચક, ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં હતી મહત્વની ભૂમિકા
ડીકે શિવકુમાર સિદ્ધારમૈયા સરકારમાં ઉર્જામંત્રી હતા. 2017 માં જ્યારે ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી ચાલી રહી હતી ત્યારે અહેમદ પટેલની સીટ ખતરામાં હતી. તે સમયે પોતાના 44 ધારાસભ્ય બચાવવા માટે કોંગ્રેસે તેમને કર્ણાટક મોકલી દીધા હતા. કર્ણાટકમાં આ બધા કોંગ્રેસી ધારાસભ્ય ડીકે શિવકુમારના જ ઈગલટન રિસોર્ટમાં રોકાયા હતા કે જે બેંગલુરુમાં છે. તેમને કોંગ્રેસના સંકટમોચન માનવામાં આવે છે.

ધારાસભ્યો સાથે વાત કરીને પોતાની તરફ લઈ આવ્યા શિવકુમાર
ડીકે શિવકુમારે આ વખતે પણ કોંગ્રેસની સરકાર બનાવવામાં ખૂબ મદદ કરી. અપક્ષ ધારાસભ્યો સાથે વાત કરીને તેમને પોતાના પક્ષમાં લઈ આવ્યા. કોંગ્રેસના 78 ધારાસભ્યોને આ વખતે પણ તેમના જ ઈગલટન રિસોર્ટમાં રોકવામાં આવ્યા. જો કે, 17 મે ની સવારે સમાચાર આવ્યા કે કોંગ્રેસના બે ધારાસભ્ય રિસોર્ટ છોડીને ફરાર થઈ ગયા છે. આમાંથી એક ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટિલ છે. જેમણે ચૂંટણી પહેલા પોતાની સંપત્તિ 40 લાખ રૂપિયા બતાવી હતી. 2013 ની ચૂંટણીમાં તે સૌથી ઓછા પૈસા ધરાવતા ઉમેદવાર હતા.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
