DMKના અધ્યક્ષ કરુણાનિધિની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
ડીએમકેના અધ્યક્ષ એમ.કરુણાનિધિની તબિયત લથડી.હોસ્પિટલમાં કરાયા દખલ
ડી.એમ.કેના અધ્યક્ષ એમ.કરુણાનિધિની તબિયત લથડતા સવારે 6:30 વાગે તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કરુણાનિધિને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેના કારણે તેમની સારવાર ચાલી રહી છે. મળતી જાણકારી અનુસાર તેમની તબિયતમાં હાલ સુધાર છે. આ અગાઉ પણ તેમને તબિયત લથડવાના સમાચારો મળતા રહ્યા છે. ડૉકટર દ્વારા તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે તેઓ પાર્ટીના કામો અને કાર્યકરોથી મળવાનુ ઓછુ પણ કર્યુ હતુ.
92 વર્ષના કરુણાનિધિ તમિલનાડુના દ્રવિડ રાજકીય દળ દ્રવિડ મુન્નેત્ર કજગમ એટલે કે ડીએમકેના પ્રમુખ છે. તેઓ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેઓએ જીવનના 60 વર્ષ રાજકારણમાં વિતાવ્યા છે અને આજે પણ એટલા જ સક્રિય છે. લોકસભામાં તેમણે પોતાની પાર્ટીને ઘણી બેઠકોમાં જીત આપાવી છે. તેઓ રાજકારણ ઉપરાંત તમિલ સિનેમામાં પણ અભિનેતા અને લેખક તરીકે જાણીતા છે. આજે પણ લોકો તેમને 'કલાઈનાર' એટલે કે 'કળામાં વિદ્વાન' કહે છે.