નરેન્દ્ર મોદીની ભાજપના નેતાઓને કડક સૂચના; આસારામને પક્ષ લેવો નહીં
નવી દિલ્હી, 29 ઓગસ્ટ : આસારામ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચૂપકીદીને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જો કે હવે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતે તો આસારામનો બચાવ કરતા જ નથી પરંતુ એવું પણ ઇચ્છે છે કે ભાજપના એક પણ નેતા આસારામનો પક્ષ લે નહીં.
આસારામ પર 16 વર્ષની કિશોરીના શારીરિક શોષણનો આરોપ છે. આ આરોપ અંતર્ગત જયપુરની કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ઘટના બાદ ભાજપના કેટલાક નેતાઓ આસારામની તરફેણમાં બોલી રહ્યા હતા. જેના પગલે નરેન્દ્ર મોદીએ પાર્ટીના તમામ નેતાઓને કડક સૂચના આપી દીધી છે.

આ મુદ્દે નરેન્દ્ર મોદીએ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે પણ વાતચીત કરી છે. તેમણે રાજનાથ સિંહ સાથે ચર્ચા કરીને આશ્વાસન માંગ્યું છે કે આજ પછી પાર્ટીના એક પણ નેતા આસારામ વિશે કોઇ પણ પ્રકારની વાત કરી નહીં અને તેમની તરફેણ કરે નહીં.
નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતાઓને સમજાવ્યા છે કે અત્યારે આ કેસમાં તપાસ ચાલી રહી છે. આસારામના મામલે કાયદો પોતાનું કામ કરશે. આથી વધારે કશું પણ કહેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાએ 27 ઓગસ્ટના રોજ આસારામના કેસને કોંગ્રેસની જાણી જોઇને ઘડેલી ચાલ ગણાવી હતી. આ પહેલા 22 ઓગસ્ટના રોજ ઉમા ભારતીએ પણ આસારામનો પક્ષ લીધો હતો.
માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીને પાર્ટીની છબીની ચિંતા છે. તેમનું માનવું છે કે એક પણ મુદ્દે નાગરિકોને લાગવું ના જોઇએ કે ભાજપ અન્યાયી અને અપરાધીઓને સાથ આપી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
