51 હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે PM મોદીને લખ્યો પત્ર
રોહિંગ્યા શરણાર્થી: 51 હસતીઓએ લખ્યો પીએમ મોદીને ખુલ્લો પત્ર, રોહિંગ્યા શરણાર્થીઓને પરત ન મોકલો
દેશની 51 જાણીતી હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં અપીલ કરી છે કે, મ્યાનમારમાં થઇ રહેલ હિંસા વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવામાં ન આવે. આ માટે રોહિંગ્યા વિરુદ્ધ થઇ રહેલ હિંસા અને અત્યાચારોનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. આ પત્રમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલ 51 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. આ પત્ર પર શશી થરૂર, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, પૂર્વ ગૃહમંત્રી જી.કે.પિલ્લઈ, પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદંબરમ, એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડ, પત્રકાર કરન થાપર, સાગરિકા ઘોષ, અભિનેત્રી સ્વરા ભાસ્કર જેવી હસતીઓએ હસ્તાક્ષર કર્યા છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રોહિંગ્યા શરણાર્થીઓ ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે, એવો તર્ક આપવો યોગ્ય નથી. આ તર્ક ખોટો છે. આવું કંઇ નથી અને આ માટે જે તથ્યો આપવામાં આવી રહ્યાં છે, એ આધારહીન છે. કલમ 21 દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર આપે છે, ભલે તે ગમે તે દેશનો નાગરિક હોય. વિદેશી નાગરિકોને સુરક્ષા આપવી, એ દેશની બંધારણીય જવાબદારી છે. અમે ભારતીય નાગરિક હોવાના હકે તમને અપીલ કરીએ છીએ કે, ભારત આ મુદ્દે નવી અને મજબૂત વિચારસરણી સાથે સામે આવે. એક વિકસતા વૈશ્વિક શક્તિશાળી દેશ પાસે આ જ આશા રાખવામાં આવે છે. આથી માત્ર રોહિંગ્યા મુસલમાનોની સમસ્યા પર ધ્યાન ન આપી, મ્યાનમારમાં તેમના વિરુદ્ધ થતી હિંસા પર પણ વિચાર કરવામાં આવે, જેના કારણે તેઓ પોતાના દેશમાંથી ભાગવા માટે મજબૂર થયા હતા.'
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
