અરવિંદ કેજરીવાલે LG લગાવ્યા આરોપ, કહ્યું- પહેલા દિવાળી ન થવા દીધી હવે યોગ પર લગાવી રહ્યાં છે રોક
આપના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેના આમને સામને છે. હવે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ દિલ્હીમાં તમામ સારા કામોને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે તેમના સારા કા
આપના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેના આમને સામને છે. હવે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ દિલ્હીમાં તમામ સારા કામોને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે તેમના સારા કાર્યોમાં દિવાળીની ઉજવણી, રેડ લાઇટ ઓન, ગાડી ઓફ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં યોગા ક્લાસ બંધ નહીં થાય. તમામ યોગ શિક્ષકોને મારી અપીલ: આવતી કાલથી ઘરે ઘરે જઈને યોગ કરાવો, મારે ભીખ માંગવી પડે તો પણ હું તમારી ફી ભરીશ. આ લોકો અહંકારમાં કાયદાનો દુરુપયોગ કરી શકે છે અને ભલે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લે, પરંતુ દિલ્હીની યોગશાળા હશે. દિલ્હી સરકાર દ્વારા 590 સ્થળોએ 17000 લોકોને મફતમાં યોગ કરાવવામાં આવ્યા હતા.
કોવિડ પછી સમસ્યાઓનો પીડિત 11,000 લોકો લાભ લઈ રહ્યા હતા. પરંતુ તેઓએ દિલ્હીની યોગશાળા બંધ કરાવી દીધી છે. આજે અસ્થમા જેવી બીમારીથી પીડિત લોકોએ યોગ કરવાનું બંધ કરી દીધું છે. તેઓએ યોગને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે રોકવાના નથી. 17,000 નહીં, અમે 17 લાખ લોકોને યોગ કરાવશું, એક દિવસ અમે દિલ્હીના 2 કરોડ લોકોને મફતમાં યોગ શીખવીશું - આ અમારું સૂત્ર છે.
પંજાબમાં 3 કરોડ લોકોને યોગ શીખવશે. ગુજરાતમાં સરકાર બનાવીશું, ત્યાં પણ કરીશું. ભાજપ દિલ્હીની દિવાળી અને રેડ લાઈટ ઓન, ગડ્ડી ઓફ અભિયાનને મંજૂરી આપી ન હતી. હવે તેઓ મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓના ટેસ્ટ માટેના ટેન્ડરને રોકવા જઈ રહ્યા છે. ગેસ્ટ શિક્ષકો અને કાચા કર્મચારીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. LG - BJP જેટલા તીર મારશે, તમારો પુત્ર ઢાલ બનીને સામે ઊભો રહેશે.