For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કરાયા

કેન્દ્ર સરકારે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે. ચીફ ઈકોનોમિક એડવાઈઝર (સીઈએ) તરીકે સુબ્રમણ્યમનો કાર્યકાળ ત્રણ વર્ષને હશે. ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ હાલમાં ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (આઈએસબી) માં પ્રોફસર છે. ડૉ. કૃષ્ણમૂર્તિ આઈઆઈટી અને આઈઆઈએમમાંથી અભ્યાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામા બાદ આ પદ ખાલી થયુ હતુ. હવે ડૉ. કૃષ્ણમૂર્તિની નિયુક્તિ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'હું નરેન્દ્ર મોદીનો ભાઈ છુ, પ્રધાનમંત્રીનો નહિ': મંદિરમાં દર્શન બાદ સોમભાઈ મોદીઆ પણ વાંચોઃ 'હું નરેન્દ્ર મોદીનો ભાઈ છુ, પ્રધાનમંત્રીનો નહિ': મંદિરમાં દર્શન બાદ સોમભાઈ મોદી

Krishnamurthy Subramanian

આ વર્ષે જૂનમાં મુખ્ય આર્થિક સલાહકાર રુપે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ બાદ અરવિંગ સુબ્રમણ્યમે રાજીનામુ આપ્યુ હતુ. તેમણે પોતાના પુસ્તક 'ઓફ કાઉન્સિલઃ ધ ચેલેન્જીસ ઓફ ધ મોદી-જેટલી ઈકોનોમી' માં એક ચેપ્ટર નોટબંધી પર લખ્યુ છે. હાલમાં જ અરવિંદ સુબ્રમણ્યે સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નોટબંધીને એક મોટો, આકરો અને મૌદ્રિક ઝટકો ગણાવ્યો હતો. જેણે અર્થ વ્યવસ્થાને 8 ટકાથી 6.8 ટકા સુધી પહોંચાડી દીધી.

English summary
Dr Krishnamurthy Subramanian appointed as new Chief Economic Advisor CEA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X