ગણતંત્ર દિવસની પરેડનુ ફૂલ રિહર્સલ આજે, દિલ્લીમાં આ રસ્તા બંધ
ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલના કારણે રાજધાની દિલ્લીમાં ગુરુવારે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે.
ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલના કારણે રાજધાની દિલ્લીમાં ગુરુવારે વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે. આ ફૂલ ડ્રેસ રિહર્સલ પરેડ વિજય ચોક પર સવારે 9.50 વાગે શરૂ થશે. પછી રાજપથ, તિલક માર્ગ, બહાદૂર શાહ જફર માર્ગ અને નેતાજી સુભાષ માર્ગ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થશે. 26 જાન્યુઆરીએ પણ પરેડ આ માર્ગો પરથી પસાર થશે. આના માટે એક દિવસ પહેલા જ આ માર્ગો પર ટ્રાફિક વ્યવહાર બંધ કરી દેવામાં આવશે.

મેટ્રો સેવા પણ પ્રભાવિત
ડીએમઆરસી અનુસાર આ દરમિયાન ગુરુવારે મેટ્રો પણ પ્રભાવિત રહેશે. ઉદ્યોગ ભવન અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનના અમુક ગેટ બંધ રહેશે. જો કે પ્રવેશ અને નિકાસ દ્વારા ખુલ્લા રહેશે. પરંતુ રવિવારે પ્રવેશ અને નિકાસ દ્વારા આ બંને મેટ્રો સ્ટેશન પર સવારે 5.00 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. વળી, લોક કલ્યાણ માર્ગ અને પટેલ ચોક પર રવિવારે સવારે 8.45 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી ગેટ બંધ રહેશે.
— Delhi Traffic Police (@dtptraffic) 22 January 2020 |
દિલ્લી વાહન વ્યવહાર માટે પોલિસે જારી કરી એડવાઈઝરી
પોલિસે એડવાઈઝરીમા કહ્યુ છે કે રાજપથ પર બુધવારે રાતે 11 વાગ્યાથી રફી માર્ગ, જનપથ, માન સિંહ રોડ પર જ્યાં સુધી રિહર્સલ પૂરુ નહિ થાય ત્યાં સુધી કોઈ પણ ક્રોસ ટ્રાફિકની અનુમતિ આપવામાં નહિ આવે. સી-હેક્સાગનથી ઈન્ડિયા ગેટ સધી ગુરુવારે સવારે 9.15 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે, જ્યાં સુધી રિહર્સલ પરેડ તિલક માર્ગને પાર ન કરી જાય ત્યાં સુધી. બુધવારે સવારે 10 વાગે તિલક માર્ગ, બહાદૂર શાહ જફર માર્ગ અને સુભાષમાર્ગ પર વાહન વ્યવહાર બંને દિશાઓમાં પ્રતિબંધિકત કરી દેવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસ પર પણ, રાજપથ પર વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે પરેડ ખતમ થવા સુધી વાહન વ્યવહાર પ્રતિબંધિત રહેશે.
— Delhi Traffic Police (@dtptraffic) 22 January 2020 |
ગુરુવારે અને રવિવારે આ રસ્તા બંધ
દિલ્લી વાહન વ્યવહાર માટે પોલિસે ટ્વિટ કરીને કહ્યુ કે ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલના કારણે લુટિયન દિલ્લીમાં વાહન વ્યવહાર પ્રભાવિત રહેશે. 26 જાન્ઉયઆરી સુધી સવારે 8.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. ગુરુવાર અને રવિવારના રોજ સવારે 7 વાગ્યા બાદ કોઈ પણ ઑટો-રિક્ષા અને ટેક્સીને આ રસ્તામાં પ્રવેશ આપવામાં નહિ આવે - મધર ટેરેસા, ક્રિસેન્ટ, બાબા ખડકસિંહ માર્ગ, અશોકા રોડ, સંસદ માર્ગ, ટૉલસ્ટોય માર્ગ, કસ્તૂરબા ગાંધી માર્ગ, ફિરોજશાહ રોડ, ભગવાન દાસ રોડ, મથુરા રોડ, સુબ્રમણ્યમ ભારતી માર્ગ, હુમાયુ રોડ, એપીજે અબ્દુલ કલામ માર્ગ, તુર્ક માર્ગ, કૌટિલ્ય માર્ગ અને સરદાર પટેલ રોડ.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
