Earthquake : દેશમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, દિલ્હી સહિત કાશ્મીરમાં પણ ધ્રૂજી ધરા
રેક્ટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જમીનથી 200 કિમી નીચે હતું. આ ભૂકંપમાં હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
Earthquake : છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. જે વચ્ચે ગુરુવારના રોજ ફરીથી દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં એક જ સપ્તાહમાં બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સાથે સાથે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે 7.56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની હિન્દુકુશ પહાડી હતી.
રેક્ટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જમીનથી 200 કિમી નીચે હતું. આ ભૂકંપમાં હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની રાત્રે પણ દિલ્હી-એનસીઆરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) એ ભારત સરકારની નોડલ એજન્સી છે, જે સમગ્ર દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખે છે. રવિવારના રોજ નવા વર્ષની રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ઝજ્જર હતું. આ પહેલા 12 નવેમ્બરના રોજ દિલ્હી-એનઆરસીની ધરતી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 મપાઇ હતી. જેનું કેન્દ્ર નેપાળ હતું.
અત્રે નોંધનીય છે કે, દિલ્હી-એનઆરસી ભૂકંપ ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. જો આ વિસ્તારમાં વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો મોટા પાયે નુકસાન થઈ શકે છે, જેનો અંદાજ લગાવવો કદાચ મુશ્કેલ છે. હવે એક સપ્તાહમાં બીજી વખત ધરતી ધ્રૂજી છે, આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ સિવાય 27-28 ડિસેમ્બરની રાત્રે નેપાળથી ઉત્તરકાશી સુધી ઘણી વખત લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. પ્રથમ આંચકો નેપાળના બાગલુંગમાં અનુભવાયો હતો. જે બાદ ઠુંગામાં બીજો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 5.3 રહી હતી.