તૌકતેના કહેર વચ્ચે જમ્મૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા
તૌકતેના કહેર વચ્ચે જમ્મૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા
કોરોનાવાયરસ મહામારી વચ્ચે દેશમાં તૌકતે વાવાઝોડાનો કહેર યથાવત છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં આજે બપોરે ભૂકંપના ઝાટકા મહેસૂરસ થયા છે. અહીંના ડોડા ક્ષેત્રમાં 2 વાગીને 34 મિનિટ પર રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેંટર ફૉર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
આખે દેશ જ્યારે એક અદ્રશ્ય તાકત કોરોનાવાયરસ સામે લડી રહ્યો છે ત્યારે બીજી તરફ અરબી સમુદ્રમાંથી ઉઠેલ ચક્રવાતી વાવાઝોડાએ પોતાનું ભયંકર રૂપ ધારણ કરી રાખ્યું છે. કેરળ, કર્ણાટક બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાએ ખુબ તબાહી મચાવી છે. હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા છે. આ દરમિયાન આજે બુધવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે.
Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે 'Yaas’?
નેશનલ સેંટર ફૉર સીસ્મોલોજી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી. ધરા ધ્રુજવાથી લોકોમાં અચાનક ડર બેસી ગયો. લોકો ઘર છોડીને બહાર ભાગવા લાગ્યા. જો કે ભૂકંપમાં કોઈપણ પ્રકારના જાન-માલને નુકસાની થઈ હોવાની સૂચના મળી નથી. જણાવી દઈએ કે અગાઉ 8 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા, દે દરમિયાન પણ તેની તીવ્રતા 3.5ની હતી. આ ઉપરાંત ગતરોજ રાજકોટમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.