અમિત શાહને ECએ આપી રાહત, હવે કરી શકશે પ્રચાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 એપ્રિલઃ ભાજપ નેતા અમિત શાહ પર ચૂંટણી પંચે પ્રતિબંધ હટાવી દીધો છે. ચૂંટણી પંચે અમિત શાહની રેલીઓ, જનસભા અને રોડ શો પરથી પ્રતિબંધ હટાવી દીધો છે, પરંતુ ચૂંટણી પંચે અમિત શાહની રેલીઓ પર નજર રાખવાના નિર્દેશ પણ આપ્યા છે.

amit-shah
નોંધનીય છેકે, અમિત શાહ પર ભડકાઉ ભાષણ આપવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે તેમની રેલીઓ પર પ્રતિબંધ લાદી દીધો હતો. અમિત શાહ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. જોકે, અમિત શાહ અને ભાજપની દલીલ હતી કે તેમના ભાષણને પૂર્ણ રીતે સમજવામાં આવ્યું નથી.

ચૂંટણી પંચે ભાજપ અને અમિત શાહની દલીલો પર ધ્યાન આપતા શાહ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણય પર કહ્યું કે અમિત શાહે જે કંઇ પણ કર્યુ તેનું ફળ તેમને મળી ચૂક્યુ અને હવે આગળથી તેઓ આવું નહીં કરે.

ઉલ્લેખનીય છેકે એક ચૂંટણી સભા દરમિયાન અમિત શાહે મુઝફ્ફરનગરમાં કહ્યું હતું કે જે લોકો આવુ કર્યું છે, તેનો બદલો લેવાનો છે, મત આપીને તેનો લેઇએ.

English summary
The Election Commission on Thursday revoked its order barring BJP general secretary Amit Shah from campaigning in Uttar Pradesh, even as sources indicated that a similar ban on Samajwadi Party leader Azam Khan is likely to stay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X