Eid-Ul-Fitr 2023: દેશભરમાં આજે ઈદની ધૂમ, મસ્જિદોમાં લોકોએ અદા કરી નમાઝ, જુઓ Video
Eid-Ul-Fitr 2023: દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે. શુક્રવારે સાંજે ચાંદ દેખાયા બાદ ભારતમાં આજે શનિવાદે ઈદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.
ઈદ-ઉલ-ફિત્ર એક ઈસ્લામી તહેવાર છે, જેને દુનિયાભરના મુસલમાન મનાવે છે. ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.
ઈદ-ઉલ-ફિત્ર પહેલા, મુસ્લિમો પવિત્ર રમઝાન મહિનામાં એક મહિના માટે રોજા રાખે છે. ઈસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ દસમા મહિનાના શવ્વાલના પહેલા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે.
Eid-Ul-Fitr 2023: કેરળમાં કેમ એક દિવસ પહેલા મનાવવામાં આવે છે ઈદ?
લોકો ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દિલ્હીની જામા મસ્જિદમાં નમાજ અદા કરે છે. જેનો શાનદાર વીડિયો સામે આવ્યો છે. જામા મસ્જિદે ઈદની પહેલી નમાજ અદા કરી છે. સેંકડો મુસ્લિમો ઈદની સવારે પ્રથમ નમાજ અદા કરવા માટે જામા મસ્જિદ પહોંચ્યા હતા.
#WATCH | Delhi: People gather at Jama Masjid to offer namaz on the occasion of #EidAlFitr pic.twitter.com/8gQO9jRbxs
— ANI (@ANI) April 22, 2023
ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મુસ્લિમો મીઠાઈ ખાઈને પોતાનો રોજા તોડે છે. ઈદ-ઉલ-ફિત્ર પર, મુસ્લિમો ઈસ્લામિક દસમા મહિના, શવાલના પ્રથમ દિવસનું સ્વાગત કરે છે.
ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ, રમઝાન નવમો મહિનો છે અને તેની સમાપ્તિની સાથે જ દસમો મહિનો શવ્વાલ ચંદ્રના દર્શન સાથે શરૂ થાય છે. શવ્વાલ મહિનાના પહેલા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે.
Heatwave: લૂના કારણે ભારતનો 90% ભાગ જોખમમાં, નવા રિસર્ચે વધારી ચિંતા!
ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, રમઝાન માર્ચ અથવા એપ્રિલમાં આવે છે. આ વર્ષે રમઝાન 23 માર્ચ 2023થી 21 એપ્રિલ 2023 વચ્ચે ઉજવવામાં આવ્યો હતો અને ભારતમાં ઈદ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહી છે.
#WATCH | People offer namaz at Delhi's Jama Masjid on the occasion of #EidAlFitr pic.twitter.com/rvG7Ntbm83
— ANI (@ANI) April 22, 2023
રમઝાનના પવિત્ર મહિના દરમિયાન, વિશ્વભરના મુસ્લિમો એક મહિના માટે સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે અને દરરોજ સાંજે ઉપવાસ તોડે છે. ઇસ્લામમાં રમઝાનને સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે.
#WATCH | People offer namaz at Eidgah in Bhopal, Madhya Pradesh on the occasion of #EidUlFitr pic.twitter.com/I11JjLBsX8
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 22, 2023
પુંછ આતંકી હુમલામાં શહીદ થયા પંજાબના 4 જવાન, CM ભગવંત માને કર્યુ 1-1 કરોડ આપવાનુ એલાન
ઇદના દિવસે, મુસ્લિમો પવિત્ર સ્નાન કરે છે, નવા કપડાં પહેરે છે અને નમાજ અદા કરે છે. આ દિવસે શીર ખુરમા અને સેવૈયા જેવી મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે લોકો ભેગા થાય છે અને સાથે ભોજન કરે છે. વડીલો બાળકોને ભેટ અને પૈસા આપે છે, જેને 'ઈદી' કહે છે. મુસ્લિમો આ તહેવાર અને આનંદના અવસર પર એકબીજાને અભિનંદન આપે છે.
#Maharashtra | People offer namaz at Mumbai's Mahim Dargah on the occasion of #EidUlFitr pic.twitter.com/pHalpwKPrq
— ANI (@ANI) April 22, 2023