ચૂંટણી પંચે હાઈકોર્ટને મીડિયા રિપોર્ટીંગ પર રોક લગાવવાની કરી અપીલ, કહ્યુ - છબી થઈ રહી છે ધૂંધળી
ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટને મીડિયા રિપોર્ટીંગ રોકવા માટે અનુરોધ કર્યો છે.
નવી દિલ્લીઃ મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે માત્ર ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યુ. આ સાથે જ પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ નોંધવા સુધીની વાત કહી હતી. જો કે આ ફટકાર બાદ ચૂંટણી પંચે 2 મેના રોજ થનાર મતગણતરી માટે કોરોના ગાઈડલાઈન તૈયાર કરીને કાઉન્ટિંગ બાદ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો. વળી, હવે ચૂંટણી પંચે મદ્રાસ હાઈકોર્ટને મીડિયા રિપોર્ટીંગ રોકવા માટે અનુરોધ કર્યો છે.

ચૂંટણી પંચે પોતાની અરજીમાં કહ્યુ કે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની મૌખિક ટિપ્પણીઓના મીડિયા રિપોર્ટથી વ્યથિત છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે આ રિપોર્ટ્સે ચૂંટણી પંચની છબીને એક સ્વતંત્ર બંધારણીય એજન્સી તરીકે ધૂંધળી કરી દીધી છે જેને ચૂંટણી સંચાલનની બંધારણીય જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યુ કે છેલ્લા અમુક સમયથી કોર્ટના સમાચારોને મીડિયામાં સતત બતાવવામાં આવી રહ્યા છે, જેનાથી ચૂંટણી પંચની છબીને નુકશાન થઈ રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે સોમવારે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે ચૂંટણી પંચ પર ટિપ્પણી કરી હતી કે તમારી સંસ્થા કોવિડ-19ની બીજી લહેર માટે એકલી જવાબદાર છે. તમારા અધિકારીઓ પર હત્યાના આરોપોનો કેસ નોંધાવો જોઈએ. વળી, હવે ચૂંટણી પંચે કહ્યુ કે સૌથી વધુ કેસોવાળા રાજ્યોમાં કોઈ ચૂંટણી નથી થઈ જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્લી. ચૂંટણી પંચે અરજીમાં કહ્યુ કે એટલા માટે એમ ન કહી શકાય કે ચૂંટણી પંચ કોવિડ-19ની બીજી લહેર માટે એકલા જવાબદાર છે અને ના ચૂંટણી પંચના અધિકારીઓને કોઈ રીતે દોષી માની શકાય.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
