Election : કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, કહ્યું - જનાદેશથી બોધપાઠ લઈશું
પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો હતો.
Election : પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો હતો અને પોતાની પાર્ટીની હાર સ્વીકારી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી આ જનાદેશમાંથી બોધપાઠ લેશે અને દેશના તમામ લોકોના હિત માટે કામ કરવાનું ચાલુ રાખશે.
પરિણામો પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે જનતાના અભિપ્રાયને સ્વીકારીએ છીએ. જનાદેશ જીતનારાઓને અભિનંદન. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસના તમામ કાર્યકરો અને સ્વયંસેવકોની મહેનત અને સમર્પણ માટે આભાર માનું છું. અમે આમાંથી શીખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
નોંધપાત્ર રીતે, કોંગ્રેસ પંજાબમાં સત્તા ગુમાવી હતી અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખુબજ નિરાશાજનક રહ્યું હતું. પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની આંધીને કારણે પાર્ટી પાસે માત્ર 18 સીટ જ રહી ગઈ છે.
આ સાથે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માત્ર બે સીટ પર આગળ છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસની તરફેણમાં પરિણામ અપેક્ષિત હતું, પરંતુ અહીં પણ ભાજપ સત્તા બચાવવામાં સફળ રહી. કોંગ્રેસ માત્ર ઉત્તરાખંડમાં 18 સીટ જીતી શકી હતી.
આ સાથે કોંગ્રેસે આ હાર સ્વીકારતા ટ્વીટ કર્યું કે, લોકશાહીમાં જનતાનો અંતરાત્મા અને જનતાનો આદેશ સર્વોપરી છે. આજના આદેશને માન આપીને અમે લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. મોંઘવારી, બેરોજગારી, સરકારી મિલકતોની હરાજી, રખડતા ઢોર, મહિલાઓ પર અત્યાચાર, દલિતો અને લોકોના તમામ વાસ્તવિક મુદ્દાઓ પર અમારી લડાઈ ચાલુ રહેશે.