ઝારખંડમાં ભાજપ માટે સેંટા ક્લોઝ બનીને આવ્યા અમિત શાહ
રાંચી, 23 ડિસેમ્બર: આજે ઝારખંડમાં પ્રથમ વાર પૂર્ણ બહુમતીની સરકાર બનવા જઇ રહી છે. ગત 14 વર્ષોમાં પોતાના વિકાસ માટે તરસી રહેલું રાજ્ય કદાચ પહેલી વાર જનમતના માધ્યમથી એક સ્થાયી સરકાર જોવા મળી રહી છે અને આશા છે કે આ સરકાર તેને સફળતા અને વિકાસનો જામો પહેરાવશે. જેટલી મોટી જીત આ ઝારખંડ માએ છે તેનાથી ઘણી વધુ મોટી જીત ભાજપ માટે પણ છે, જેને પોતાનું કોંગ્રેસ મુક્ત દેશનું સપનું સાકાર કરવામાં કોઇ કસર છોડી નહી.
ફત 14 વર્ષોમાં આ રાજ્યએ 9 મુખ્યમંત્રી જોવા છે. ફરી એકવાર અપક્ષ ધારાસભ્ય મધુ કોડા પણ મુખ્યમંત્રી બની ગયા. આ 14 વર્ષોમાં સૌથી વધુ સાડા નવ સુધી ભાજપના જ મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે પરંતુ દરેક વખતે રાજ્યની જનતાના અભાવો અને પછાતપણાનો શિકાર રહી છે.

14 વર્ષોમાં ઝારખંડે 9 મુખ્યમંત્રી જોયા છે
પરંતુ કદાચ આવું પ્રથમ વાર થયું છે કે આ વર્ષે રાજ્યમાં વોટ ના તો જાતિ પર ના તો વંશવાદ પર પડ્યા છે પરંતુ અહીં મતદારોએ વિકાસ માટે વોટ કર્યો છે. હવે જનતા સમજી ચૂકી છે કે જાતિ અને વંશવાદના રાજકારણથી કંઇ થવાનું નથી, બે ટાઇમની રોટી માટે તમારે વિકાસના માર્ગ પર ચાલવું જ પડશે.
અને આ વાતને ભાજપે સમજીને ચૂંટણીમાં ગઠજોડ કરીને દેશની જનતા પાસે વોટ માંગ્યા હતા અને તે તેમાં સફળ રહી છે. નિશ્વિતપણે આ પીએમ મોદી માટે લોકપ્રિયતાની છબિનું પરિણામ છે પરંતુ આ લોકપ્રિય ઇમેજ ફિલ્મના ડાયરેક્ટર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે જેમણે ચૂંટણી રેલીઓમાં વિકાસ અને ફક્ત વિકાસનો રાગ આલાપતાં એવી રાજકીય રમત ગોઠવી જેમાં જનતાનું મોહ મોહી લીધું અને પરિણામ આજે તમારી સમક્ષ છે અને ક્રિસમસથી ઠીક પહેલાં ભાજપના ખોળામાં અમિત શાહે એક સેંટા ક્લોજની માફક ખુશીઓ જ ખુશીઓ ભરી દિધી છે.
રાજકીય પંડિતોના અનુસાર આ અમિત શાહનું જ દિમાગ હતું ઝારખંડમાં ભાજપ-આજસૂ સાથે લડ્યા, અમિત શાહના આગ્રહથી જ રાજ્ય સરકારની ચૂંટણીઓ માટે પીએઅમ મોદીની તાબડતોડ રેલીઓ થઇ છે અને અમિત શાહનું દિમાગ હતું કે ભાજપે હરિયાણા અને મહારાષ્ટ્રના તર્જ પર અહીં ચૂંટણી કોઇ વ્યક્તિને સીએમ પ્રોજેક્ટ કર્યા વિના લડી જેથી ચૂંટણીના પરિણામો પહેલાં આદિવાસી અને બિનઆદિવાસી એમને લઇને ઝઘડો ના થાય. તો નિશ્વિતપણે કહી શકાય કે ભાજપ માટે ઝારખંડના સેંટા ક્લોઝ બીજું કોઇ નહી અમિત શાહ જ છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
