For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા

અનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અથડામણ અનંતનાગના બાગગેન્દ્ર વિસ્તારમાં થઈ. સુરક્ષાકર્મીઓને આ વાતની જાણકારી મળી હતી કે અહીં કેટલાક આતંકીઓ છૂપાયા છે, જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબા શરૂ કરી દીધો. જાણકારી મુજબ આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓએ સેનાના જવાનોને ઠાર માર્યા. એન્કાઉન્ટર બાદ અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આતંકીઓની ઓળખ થઈ

આતંકીઓની ઓળખ થઈ

એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળ પરથી આતંકવાદીઓ પાસેથી હથિયાર, ગોળાબારુદ જપ્ત કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટમાં મરના બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. બંને આતંકવાદીઓના નામ સફદર અમીન ભટ અને બુરહાન અહમદ ગની છે. તેમની પાસેથી એક એકે રાઈફલ અને એક એલએલઆર જપ્ત થઈ છે. પોલીસે ઘટનાની એફઆઈઆર નોંધી લીધી છે. જ્યારે એન્કાઉન્ટરના કારણ અનંતનાગમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ વર્ષે 68 આતંકીઓ ઠાર મરાયા

આ વર્ષે 68 આતંકીઓ ઠાર મરાયા

જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 68 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. સૂત્રો પાસેથી મળેલ પ્રાપ્ત જાણકારી મુજબ મરનાર 68 આતંકવાદીઓમાંથી 27 જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ છે, જેમાંથી 19 પુલવામા આતંકી હુમલા બાદ માર્યા ગયા. જાણકારી મુજબ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ 18 ફેબ્રુઆરીએ કામરાન, 11 માર્ચે મુશશીર અહમદ ખાન અને 11 માર્ચે જ સજ્જાદ ભટ્ટને ઠાર માર્યા હતા.

શોપિયાંમાં સુરક્ષાબળોએ ઠાર માર્યા 2 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુશોપિયાંમાં સુરક્ષાબળોએ ઠાર માર્યા 2 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ

45 દિવસમાં પુલવામાના આતંકી ઠાર

સૂત્રો મુજબ પુલવામા હુમલાના 45 દિવસોમાં હુમલામાં સામેલ આખી જૈશ ટીમને ટેક્નિકલ અને માનવ ગુપ્ત આધારિત અભિયાનોને સંયોજનના માધ્યમથી બિનઅસર કરી દેવામાં આવી. જેમાં જૈશ કેડરની ધરપકડ અને નિર્વાસન પણ સામેલ છે જે કોઈપણ પ્રકારના ઓપરેશનમાં સામેલ હતા. પુલવામા હુમલા બાદ હુમલામાં સીધી રીતે સામેલ ચાર જૈશ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા, જ્યારે ચાર અન્યોને વિવિધ અભિયાનો અંતર્ગત પકડી લેવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીમાં 40 જૈશના જમીની સમર્થકો સાથે પૂછપરછ કરીને ઈનપુટ હાંસલ કરવામાં આવ્યા.

English summary
Encounter between security forces and terrorists in Anantnag jammu kashmir,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X