અનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા
અનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અથડામણ અનંતનાગના બાગગેન્દ્ર વિસ્તારમાં થઈ. સુરક્ષાકર્મીઓને આ વાતની જાણકારી મળી હતી કે અહીં કેટલાક આતંકીઓ છૂપાયા છે, જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબા શરૂ કરી દીધો. જાણકારી મુજબ આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓએ સેનાના જવાનોને ઠાર માર્યા. એન્કાઉન્ટર બાદ અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આતંકીઓની ઓળખ થઈ
એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળ પરથી આતંકવાદીઓ પાસેથી હથિયાર, ગોળાબારુદ જપ્ત કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટમાં મરના બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. બંને આતંકવાદીઓના નામ સફદર અમીન ભટ અને બુરહાન અહમદ ગની છે. તેમની પાસેથી એક એકે રાઈફલ અને એક એલએલઆર જપ્ત થઈ છે. પોલીસે ઘટનાની એફઆઈઆર નોંધી લીધી છે. જ્યારે એન્કાઉન્ટરના કારણ અનંતનાગમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ વર્ષે 68 આતંકીઓ ઠાર મરાયા
જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 68 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. સૂત્રો પાસેથી મળેલ પ્રાપ્ત જાણકારી મુજબ મરનાર 68 આતંકવાદીઓમાંથી 27 જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ છે, જેમાંથી 19 પુલવામા આતંકી હુમલા બાદ માર્યા ગયા. જાણકારી મુજબ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ 18 ફેબ્રુઆરીએ કામરાન, 11 માર્ચે મુશશીર અહમદ ખાન અને 11 માર્ચે જ સજ્જાદ ભટ્ટને ઠાર માર્યા હતા.
|
45 દિવસમાં પુલવામાના આતંકી ઠાર
સૂત્રો મુજબ પુલવામા હુમલાના 45 દિવસોમાં હુમલામાં સામેલ આખી જૈશ ટીમને ટેક્નિકલ અને માનવ ગુપ્ત આધારિત અભિયાનોને સંયોજનના માધ્યમથી બિનઅસર કરી દેવામાં આવી. જેમાં જૈશ કેડરની ધરપકડ અને નિર્વાસન પણ સામેલ છે જે કોઈપણ પ્રકારના ઓપરેશનમાં સામેલ હતા. પુલવામા હુમલા બાદ હુમલામાં સીધી રીતે સામેલ ચાર જૈશ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા, જ્યારે ચાર અન્યોને વિવિધ અભિયાનો અંતર્ગત પકડી લેવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીમાં 40 જૈશના જમીની સમર્થકો સાથે પૂછપરછ કરીને ઈનપુટ હાંસલ કરવામાં આવ્યા.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
