છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટર, ત્રણ નક્સલીઓના મોત!
સુરક્ષા દળોને સોમવારે સવારે છત્તીસગઢ-તેલંગણા સરહદ પર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા. આ સ્થળ પરથી એકે-47 સહિતના હથિયારો પણ મળી આવ્યા છે.
જગદલપુર : સુરક્ષા દળોને સોમવારે સવારે છત્તીસગઢ-તેલંગણા સરહદ પર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા. આ સ્થળ પરથી એકે-47 સહિતના હથિયારો પણ મળી આવ્યા છે. બીજી તરફ બસ્તરના આઈજી સુંદરરાજ પીએ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. જો કે, સુરક્ષા દળો હજુ પણ જંગલમાં હાજર છે. આ એન્કાઉન્ટર તેલંગાણા પોલીસ અને તેલંગાણા ગ્રેહાઉન્ડ્સ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેલંગાણા મુલગુ જિલ્લાના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હોવાની માહિતી મળી હતી.
આ પછી તેલંગાણા પોલીસ અને તેલંગાણા ગ્રેહાઉન્ડ્સ ફોર્સે શોધખોળ હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકો જંગલમાં પ્રવેશતાની સાથે જ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર લગભગ બે કલાક સુધી ચાલ્યુ હતું. જવાનોને હવા થતા જોઈને નક્સલવાદીઓ જંગલના રસ્તેથી ભાગ્યા હતા. મુલગુ જિલ્લાનું જંગલ છત્તીસગઢના બીજાપુર જિલ્લાની સરહદને અડીને આવેલુ છે.
જવાનોએ નક્સલવાદીઓને ચારે તરફથી ઘેરી લીધા હતા. હાલ એન્કાઉન્ટર બાદ છત્તીસગઢના સરહદી જિલ્લાઓમાં તૈનાત પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે જવાનો પરત આવશે ત્યારે ઘટના અંગે વધુ વિગતો પ્રકાશમાં આવશે.