Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ત્રીજા ગઠબંધનની એન્ટ્રી, જાણો શું છે પરિવર્તન મહાશક્તિ?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે કારણે તમામ પાર્ટી મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં બે ગઠબંધન મેદાનમાં હતા. જોકે હવે ત્રીજુ ગઠબંધન પણ જોવા મળી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અત્યાર સુધી રાજ્યમાં ચૂંટણી જંગ શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ આઘાડી એલાયન્સ વચ્ચે હતો, પરંતુ હવે ત્રીજા ગઠબંધનની એન્ટ્રી થઈ છે.
શુક્રવારના રોજ પરિવર્તન મહાશક્તિ નામના નવા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તન નિશ્ચિત માનવામાં આવે છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, કયા નેતાઓએ આ પરિવર્તન મહાશક્તિ ગઠબંધન બનાવ્યું છે, અને આ ગઠબંધનમાં કયા પક્ષો સામેલ છે?
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ સંભાજી છત્રપતિ રાજે, રાજુ શેટ્ટી અને અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુના નેતૃત્વમાં પરિવર્તન મહાશક્તિ ગઠબંધન બનાવવામાં આવ્યું છે.
પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની જાહેરાત કરતા પૂર્વ રાજ્યસભા સાંસદ સંભાજી રાજેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકોમાં અશાંતિ છે, અને તેઓ પરિવર્તન ઈચ્છે છે. જે કારણે મહારાષ્ટ્રના લોકોના હિત માટે સાથે મળીને પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની રચના કરવામાં આવી છે.
અત્રે નોંધનીય બાબત છે કે, પરિવર્તન મહાશક્તિ ગઠબંધન હાલના મુખ્ય રાજકીય ગઠબંધન, સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી સામે ત્રીજા મોરચા તરીકે સામે છે.
આ પગલું NCP અને શિવસેના જેવા મોટા રાજકીય પક્ષોમાં વિભાજન અંગે વધતી જતી અશાંતિ અને મૂંઝવણ વચ્ચે પરિવર્તન માટેની જનતાની ઇચ્છાના પ્રતિભાવમાં આવ્યું છે, જેણે સત્તા અને વિરોધ બંનેમાં જૂથવાદ જોયો છે.

પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની રચનાનો ઉદ્દેશ્ય પરિવર્તન ઇચ્છતા લોકોને એક કરવાનો છે, જેની ઉદ્ઘાટન જાહેર સભા 26 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
આ પહેલનો હેતુ મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે અને વંચિત બહુજન અઘાડી નેતા પ્રકાશ આંબેડકર સહિત વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરોને પરિવર્તન મહાશક્તિ ગઠબંધનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો છે.
પરિવર્તન મહાસત્તા ગઠબંધનની મહત્વાકાંક્ષા તેના પ્રારંભિક સ્થાપકો સુધી મર્યાદિત રહેશે નહીં. સંભાજી રાજેએ પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની અપીલ કરી હતી.
સંભાજી રાજે દ્વારા પરિવર્તન મહાશક્તિ ગઠબંધનના પ્રભાવને વિસ્તૃત કરવાની આશામાં મનોજ જરાંગે અને પ્રકાશ આંબેડકર જેવા પ્રભાવશાળી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
