આજે પણ ખેડૂત - સરકારની મિટીંગનો ન થયો કોઇ ફાયદો, 8 જાન્યુઆરીએ ફરી બેઠક
નવા કૃષિ કાયદા અંગે સોમવારે સરકાર અને ખેડૂત વચ્ચેની 8 માં રાઉન્ડની બેઠકનો અંત આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આજની સભામાં કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવશે પરંતુ આવું થયું નહીં. આજની સભા પણ અનિર્ણિત હોવાનું બહ
નવા કૃષિ કાયદા અંગે સોમવારે સરકાર અને ખેડૂત વચ્ચેની 8 માં રાઉન્ડની બેઠકનો અંત આવ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આજની સભામાં કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવશે પરંતુ આવું થયું નહીં. આજની સભા પણ અનિર્ણિત હોવાનું બહાર આવ્યું છે. હવે પછીના રાઉન્ડની બેઠક મળશે. આગામી મીટીંગ 8 મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે શરૂ થશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, બેઠકમાં ખેડુતો કાયદો પરત કરવાની માંગ માટે જ અડગ હતા. સરકારના મંત્રીઓએ કહ્યું કે તેઓ ફરી એક વખત ખેડૂત સંગઠનો સાથે વાત કરશે.
સરકારના મંત્રીઓ સાથે વાતચીત કર્યા પછી ખેડૂત નેતા રાકેશ ટીકાઈતે કહ્યું કે તેઓ 8 જાન્યુઆરી 2021 ના રોજ સરકાર સાથે ફરી મુલાકાત કરશે. તેમણે કહ્યું હતું કે, કૃષિ કાયદા પાછા લેવા અને એમએસપીના મુદ્દે ફરી ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે સરકારને કહ્યું છે કે કાયદો પાછો નહીં ખેચાય તો ઘરે પરત નહીં ફરે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહે કહ્યું કે અમે ખેડૂતો સાથે ત્રણેય કાયદા અંગે સંપૂર્ણ ચર્ચા કરવા માંગીએ છીએ. પરંતુ અમે કોઈ નિષ્કર્ષ પર આવી શક્યા નહીં કારણ કે ખેડુતો ત્રણેય કાયદાને રદ કરવાની માંગ પર અડગ હતા. નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આજની વાટાઘાટો પછી અમને આશા છે કે આગામી વાટાઘાટો દરમિયાન આપણે કોઈ નિષ્કર્ષ પર આવીશું.
નરેન્દ્રસિંહ તોમરે બેઠકમાં જણાવ્યું હતું કે આપણે આખા દેશના બાકીના રાજ્યોના ખેડુતો સાથે વાત કરીશું, કેમ કે આપણે પણ બાકીના દેશના ખેડૂતોનું હિત જોવું રહ્યું. ઘણા રાજ્યોના ખેડુતો અને સંગઠનો આ ત્રણ કાયદાને સમર્થન આપી રહ્યા છે. તેઓ માને છે કે આનાથી ખેડૂતોને ફાયદો થશે. તેમની સાથે વાત કર્યા પછી જ, હું તમને કહી શકશે. તેથી, 8 મી જાન્યુઆરીએ બેઠક યોજાઈ છે. ખેડુતોએ કહ્યું કે તાળીઓ બંને હાથથી વાગે છે.
આ પણ વાંચો: Farmers Protest: અફવાઓને પર રિલાયન્સ ગૃપે આપી સફાઇ, કહ્યું- કોર્પોરેટ ખેતીમાં એન્ટ્રીનો કોઇ પ્લાન નથી